SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશ સેવા, રાજ્ય સેવા આદિ અનેક સેવા ધર્મ પ્રવર્તક સૂત્રો, ઉપદેશે, અને આચારવડે ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં સંપ્રતિ પ્રવતી પ્રવૃત્તિ માર્ગને ધર્મ પ્રતિ પ્રેમ આકર્ષી શકાય છે. સાંસારિક લાભની સાથે ધાર્મિક લાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થનારા સાંસારિક મનુષ્ય હોય છે એવું વ્યવહારદોએ લક્ષ્ય દઈને ધર્મપ્રવૃતિમાં પ્રવૃત્ત થવું જોઈએ. આવશ્યક સાનુકુલ વિશ્વજીવન વ્યવહાર પ્રવૃતિમાર્ગની સાથે ગૃહસ્થમનુ આવશ્યક સાનુકૂલધર્મ જીવનવ્યવહારમાં પ્રવૃતિ કરી શકે એવી સ્વાભાવિક સ્થિતિ છે; અતએ તે બાબતની આવશ્યક ધર્મપ્રવૃતિ માટે લક્ષ્ય દેવાની ખાસ જરૂર છે. ધર્મના સૂક્ષ્મ તત્ત્વનું રહસ્ય અવબોધાવવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવર્તવાની આવશ્યક્તાને ધર્મગુરૂઓએ સ્વીકારવી જોઈએ. આલસ્યવિકથા વગેરે દોષને ત્યાગ કરીને ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. રાજકીય પ્રગતિ, વ્યાપાર પ્રગતિ આદિ અનેક વ્યાવહારિક પ્રવૃત્તિ પ્રગતિચેની સાથે ગૃહસ્થ મનુષ્યએ ધર્મ પ્રવૃત્તિની એવી રીતે અપ્રમત્તદશાએ પ્રગતિ કરવી જોઈએ કે જેથી મૃત્યુ ગમે તે વખતે આવીને ઉભું રહે તેપણુ ધર્મપ્રવૃત્તિ માટે સંતોષ રહે અને જરા માત્ર ખેદ ન રહે. વ્યવહારનયની અપેક્ષાએ અલ્પદોષ, અલ્પ હાનિ અને પુણ્યસંવનિર્જરાદિની મહાલાજવાળી પ્રવૃત્તિ સંબંધી ઉપર્યુક્ત વિચારેનું કથન કરવામાં આવ્યું છે અને નિશ્ચયનયની અપેક્ષાએ અલ્પષ અને મહાલાભપ્રદ આન્તરિક ધર્મવૃત્તિદ્વારા ઉપર્યુક્ત વ્યાવહારિકનોક્ત બાહ્યસ્વરૂપ અવધવું કે જેથી એકાન્તનયપ્રવૃત્તિ ન થઈ શકે. વ્યવહાર અને નિશ્ચય નયથી બાહાધર્મ પ્રવૃત્તિનું સ્વરૂપ અવબોધીને અભિતઃ પરિ સ્થિતિને ધ્યાનમાં લેઈ અપષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને આચરવી જોઈએ કે જેથી સ્વપ્રવૃત્તિ નિવૃત્તિમાં આગળ વધી શકાય. આ બાબતને નિર્ણય કરીને એવી અચલ પ્રવૃત્તિ કરવી કે હું પાતગામ વા વાર્થ સાધવા એ સૂત્રને આચારમાં મૂકયું ગણી શકાય. અલ્પદોષ અને મહાલાભપ્રદ વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ સંબંધી જેટલું લખવામાં આવે તેટલું ન્યૂન છે. પ્રવૃત્તિમાર્ગથી પ્રવૃત્તિની For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy