SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૬ હિત્યનો નાશ થઈ જાત. શ્રીઅભયદેવસૂરિએ નવાંગવૃત્તિ ન લખી હોત તે સૂત્રેાના આશયે અવમેધવામાં ઘણી હાનિ પ્રાપ્ત થઈ શકત, પણ તેમણે અલ્પાનિ અને મહાલાભને નિશ્ચય કરીને નવાંગાપર વૃત્તિ લખી. પ્રાયશ્ચિત્તાદિશાસ્ત્રો રચવામાં અલ્પદોષ અને મહાલાભ અવધીને પૂર્વાચાર્યાએ પ્રવૃત્તિ કરી હતી. ધર્મસામ્રાજ્યનો નાશ થાય તેવા આપત્તિકાલમાં અલ્પદોષ, અલ્પહાનિ અને મહાલાભ થાય તેવી પ્રવૃત્તિ આચરવામાં જરામાત્ર આંચકા ખાવા એ ધર્મનો નાશ કર્યાં ખરાખર છે એવું અવધીને ગીતાર્થટષ્ટિએ ધર્મસંરક્ષક પ્રવૃત્તિને અનેક સુવ્યવસ્થાએથી આચરવી. સરકારી કાયદાએ રચવામાં અલ્પદોષ, અલ્પહાનિ અને રાજ્યશાન્તિ, રાજ્ય સુવ્યવસ્થા, પ્રજાપાલનાદિ અનેક લાભાને ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રીહેમચંદ્રાચાર્યે ખંભાતમાં કુમારપાલને પુસ્તકના ડાભલામાં સંતાડાવ્યા તેમાં અલ્પદોષ અને મહાલાભવાળી દૃષ્ટિએ એ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા હતા એમ અવષેધવું. શ્રીહેમચંદ્રાચાર્યે શ્રીકુમારપાલને પ્રતિબોધવામાં અલ્પદોષ અને મહાલાભવાળી પ્રવૃત્તિ સેવી હતી. શ્રીસિદ્ધસેન દિવાકરે શ્રીવિક્રમ રાજાને પ્રતિબાધવામાં અલ્પદોષ અને મહાલાભકારી એવી વિચાર પ્રવૃત્તિ અને આચારપ્રવૃત્તિને સેવી હતી. દેવતાઓની સમવસરણ રચવાની પ્રવૃત્તિ, સમવસરણમાં જલ સ્થલજ પુષ્પા બીછાવાની પ્રવૃત્તિ, અનેક રાજાઓની વરઘોડા ચઢાવીને સમવસરણમાં આવવાની પ્રવૃત્તિ, દેવા અને દેવીએની સમવસરણમાં નાટક પ્રવૃત્તિ, ઇત્યાદિ પ્રવૃત્તિ ચામાં અલ્પદોષ અને મહાલાભ ખરેખર દેવતાઓ અને રાજાએ વગેરેને થતો હોવાથી શ્રીમહાવીર પ્રભુએ એવી પ્રવૃત્તિયેામાં માન સેર્યું હતું; અર્થાત્ ઉપદેશદ્વારા તેવી પ્રવૃત્તિયાના નિષેધ કર્યા નહોતા. ધર્માદ્ધારક મહાત્માઓએ દેશકાલાનુસારે જગહિત પરત્વે અલ્પાનિ અને મહાલાભ તેમજ સ્વવ્યક્તિ પરત્વે અલ્પદોષ, અલ્પાનિ અને મહાલાભ થાય એવી ધર્મપ્રવૃત્તિયાને ભૂતકાલમાં સેવી, વર્તમાનમાં તે સેવે છે અને ભવિષ્યમાં તે સેવશે. જગવાનુ કલ્યાણ કરનારી એવી ધર્મપ્રવૃત્તિયે જે જે કરવામાં આવે છે તેમાં અલ્પદોષ અને મહાલાભ હોય છેજ એમ ધર્મપ્રવૃત્તિયેના મૂલ ઉંડા સૂક્ષ્મ ભાગમાં ઉત For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy