SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬ કરી શકે છે. દેશવિરતિ ગૃહસ્થવર્ગને અનન્તાનુબંધી અને અપ્રત્યા ખ્યાન કષાયને ઉપશમાદિ ભાવ હોય છે તેથી તે અનન્તાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયના અભાવની અપેક્ષાએ કર્તવ્ય કાર્યમાં નિર્લેપ વ્યવહારને સંરક્ષી શકે છે. અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાના ઉપશમાદિ ભાવે નૈઋયિદષ્ટિએ ત્યાગી સાધુઓ નિર્લેપ રહી શકે છે અને નૈશ્ચયિકદષ્ટિએ સંજવલન કષાયદ સલેપ બની શકે છે પરંતુ પ્રતિક્રમણાદિ આવશ્યકરૂપ ધર્માનુષ્ઠાનવડે ત્યાગીઓ, વ્યવહારમાં કર્તવ્યકર્મો કરતા છતા નિર્લેપ રહી શકે છે. ગૃહસ્થો પણ જે જે કષાના અભાવે જે જે ગુણસ્થાનક દષ્ટિએ નિર્લેપ રહેવાના હેય છે તે તે ગુણસ્થાનક દષ્ટિએ વ્યવહારમાં અમુક કષાયથી નિર્લેપ રહી શકે છે અને અન્યકષાદયે સલેપ રહી શકે છે પરંતુ પ્રતિકમણાદિ ધર્મકર્તવ્યવડે પશ્ચાત્તાપાદિ પરિણામે પુનઃ નિર્લેપ થઈ શકે છે એમ જેનગુણસ્થાનક ગતનૈશ્ચયિક દષ્ટિએ ગૃહસ્થ અને ત્યાગીઓને નિર્લેપત્ર અને સલેપત્વ અવધવું. ગૃહસ્થ ગૃહસ્થદશા પ્રમાણે અપ્રમત્તગના તરતમયેગે નિર્લેપ રહી શકે છે અને ત્યાગી સાધુની દશા પ્રમાણે વ્યવહાર અને નિશ્ચયતઃ કર્તવ્ય કાર્યો કરતા છતા નિર્લેપ વ્યવહારને સાધી શકે છે. કામના પ્રબળ સંસ્કાર વેગે, કષા, સંસારમાં પાણિગ્રહણ અને તેમજ કામના પ્રબળ સંસ્કારના વેગોની મદતા, સંસારમાં ગૃહિણુ સાથે સંબંધ બાંધવાની તીવ્ર અરૂચિ. અત્યાગ દશા અને ત્યાગના વિચારેવડે ગૃહસ્થદશા અને સાધુદશા બેમાંથી કઇ દશામાં રહીને નિર્લેપ વ્યવહાર સાથે તેને નિશ્ચય કરી શકાય છે અને સ્વાધિકારદશાને નિશ્ચય કર્યો પશ્ચાત્ સ્વાધિકાર વ્યવહારની નિર્લેપતા માટે ધર્મક્રિયાવડે વર્તી શકાય છે. જે મનુષ્ય સ્વાધિકાર દશાને નિશ્ચય કરીને નિર્લેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પરિપૂર્ણ પ્રયત્ન નથી કરતે તે ખરેખર આત્મોન્નતિના માર્ગથી બ્રણ થાય છે. અએવ ધર્મ કૃત્ય વડે સાંસારિક નિર્લેપ વ્યવહાર માટે અત્યંત પ્રયત્ન કરે જોઈએ અને પશ્ચાત્ પરિપૂર્ણ આત્મશ્રદ્ધા ધારણ કરી સ્વાશ્રયી બનીને વર્તવું જોઈએ. જળકમળવત્ નિર્લેપ વ્યવહાર શખ એ કઈ સામાન્ય બાબત નથી. નિર્દભ પ્રવૃત્તિ અને ધર્મગુરૂની પરિપૂર્ણ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy