SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૧ નિશેષ કલેશ મુક્ત શુદ્ધ ચેતનનું દર્શન કર અને આત્માના શુદ્ધ સ્વરૂપની યાને પરમાત્મપદની પ્રાપ્તિ કર. આત્મજ્ઞાની મુનિ સ્વકીય શુદ્ધ સ્વરૂપને દેખીને તેનું ધ્યાન ધરી કૃતકૃત્ય થાય છે. અધ્યાત્મજ્ઞાની મુનિ આત્મસુખની ખુમારીમાં સદા મગ્ન રહે છે તેને આત્મસુખની ખુમારીમાં મગ્ન રહેવું એજ ગમે છે અને તેથી તે આત્મસુખની ખુમારીમાં સદા મગ્ન રહેવાય એવા આચરણને આચરે છે. આત્મજ્ઞાની મુનિની દશા ખરેખર દુનિયાથી જુદા પ્રકારની હોય છે, આત્મજ્ઞાની મુનિનું વર્તન બાહ્ય વિશ્વ મનુષ્યથી ભિન્ન પ્રકારનું હોય છે અને દૃષ્ટિ પણ આશય ભેદે ભિન્ન પ્રકારની હોય છે. જે મુનિને ત્રણ ભુવન આદેય નથી અને હેય પણ નથી અર્થાત્ ત્રણ ભુવનમાં હેય બુદ્ધિ અને આદેય બુદ્ધિ જેની નથી એવા મુનિવરને સ્વાન્ય પ્રકાશક એવું આત્મજ્ઞાન પ્રકટે છે. આવી હેયાદેયબુદ્ધિ વિનાની આત્મદશા પ્રાપ્ત કરવાથી આત્માનું જ્ઞાન પ્રકટે છે. જે મુનિવરે ત્રિભુવનપતિપદાર્થોમાં હેય અને આદેયતાને ધારણ કરતા નથી તેઓ ત્રિભુવનબંધનથી મુક્ત થઈને પરમાત્મપદ અનુભવે છે એમ નિશ્ચયતઃ અવધવું. જેમાં એક વૃક્ષથી ઘસાઈને અગ્નિ પ્રકટવાથી તે સ્વયં અગ્નિરૂપ બને છે તદ્વત્ર આત્મા સ્વર્ય આત્માવડે આત્માનું આરાધન કરીને આત્મામાં પરમાત્મા પ્રકટાવે છે. આત્મા પોતાનામાં ધ્યાના નિવડે પરમાત્મત્વ પ્રકટાવે છે એમ અનંત તીર્થકરેએ-ષિએ પ્રતિપાદન કર્યું છે અને ભવિષ્યમાં અનંત તીર્થંકર પ્રતિપાદન કરશે. આ પ્રમાણે આમાથી પરમાત્મતાને અંતરમાં તન્મયપણે ભાવીને જે પરમાત્મતા પ્રકટાવે છે તે પુનઃ સંસારમાં અવતરતું નથી. આત્માના ગુણે વિના અન્ય સર્વ જડ વસ્તુઓને ભૂલી જવાથી આત્મામાં સહજાનંદ પ્રકટે છે. આત્માના ગુણવડે આત્માની ઉન્નતિ થાય છે. આત્માના શુદ્ધ પર્યાને પ્રાદુર્ભાવ તે પરમાત્મપદ અવધવું. એવા પરમાત્મપદમાં રમણતા કરવી એજ પરમાત્માને ધર્મ છે. આવું પરમાત્મપદ અનુભવવાથી પરમાત્મદશાનો ખ્યાલ આવે છે અને તેથી ઉત્તમોત્તમ સ્વતંત્રતા પ્રકટી નીકળે છે. આત્માની પરમાત્મતા શેધવાને માટે બાહ્ય પ્રદેશમાં અટન કરવાની કંઈ જરૂર નથી. આત્માની પરમાત્મતા પ્રક For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy