SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ યથી તે ચિંદ્રિય પર્યત સર્વ પર દયાના પરિણામ ધારણ કરવો, કઈ જીવની હિંસા કરવી નહિ, કરાવવી નહિ, અને જીવની હિંસા કરનારની અનુમોદના કરવી નહિ. જીવની દયા અને યતનાની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશુદ્ધ કર્મગની ભૂમિકામાં ઉત્તરેત્તર ગુણસ્થાનક શ્રેણિએ આહાય છે. દયા અને યતનાના પરિણામ વિનાને કર્મયેગી સ્વાધિકારથી અધ:પતન પામે છે. જ્યાં દયાને પરિણામ નથી ત્યાં પ્રભુપ્રાપ્તિનું દ્વાર નથી. ગમે તેવા વ્યાવહારિક કર્મ ગાધિકારે કૃત્ય કરતી વખતે સ્વફરજ અદા કરતાં દયાના પરિણામ અને યતના તે હેવી જોઈએ. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને દયાના અને યતના તે અવશ્ય હોય છે જ. જે આત્મજ્ઞાન-આત્મજ્ઞાન એવી બૂમ પાડે છે અને દયા તથા ચેતનાથી રહિત હોય છે તે આત્મજ્ઞાની થતું નથી તથા તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને અધિકારી પણ બની શકતા નથી. આચારાંગ વગેરે સૂત્રમાં દયાસંબંધી વિશેષતઃ વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વમાં જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી એમ નિશ્ચયતઃ અવબોધવું. દયા એજ પ્રભુને સત્યપદેશ છે. જે દયાથી રહિત સત્ય છે તે સત્ય ગણી શકાય જ નહિ. દયાની વૃદ્ધિ ન થાય અને હિંસાની પુષ્ટિ કરે તે સત્ય નથી પરંતુ અસત્ય છે. ગૃહસ્થ સર્વથા પ્રકારે દયા પાળી શકતું નથી. તેથી તે દેશથી અહિંસા વિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. દયા વિના ગૃહસ્થ મનુષ્ય પોતાના કાર્યમાં વિશુદ્ધ રહી શકતું નથી. શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાપાલક ગૃહસ્થ જેમ જેમ દયા અને યતનાના સ્વાધિકારે આવશ્યક કાર્યોની ફરજ અદા કરવા પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે દયા અને યતનાને વિશેષતઃ આચારમાં મૂકે છે. મુનિરાજ સર્વથા પ્રકારે અહિંસા વિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. સર્વ શાસ્ત્રોને અને સર્વ ધર્મોને સાર એ છે કે દયા પાળવી. સત્યાદિ વ્રતે પણ અહિંસા વ્રતરૂપ કલ્પવૃક્ષની વાડ સમાન છે. જેના હૃદયમાં દયા છે તેનું હૃદય પ્રભુરૂપ છે, અને જેના હૃદયમાં દયા નથી તે નાસ્તિક છે એમ નયની અપેક્ષાએ અવધવું. જે ધર્મ, હિંસાનું પ્રતિપાદન કરે છે તે ધર્મ નથી પરંતુ અધર્મ છે. ધર્માર્થે કેઈનું રક્ત રેડવાનું, For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy