SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ રીતે કરી શકાય છે. માન કર્યા વિના પ્રવૃત્તિ કરવી, ઉપદેશ દે, ખાવું-પીવું-ઈત્યાદિક કાર્યો કરવાં, ક્ષાત્રધર્મનું સેવન કરવું, સેવાધર્મની ફરજ અદા કરવી વગેરે ચાલી શકે તેમ છે. ઉલટું કર્તવ્ય કાર્યમાં માન (અહંકાર) કરવાથી અનેક વિક્ષેપ ઉભા થાય છે અને સાનુકુળ સંગો પણ પ્રતિકુળતાને પામે છે. કર્તવ્ય કર્મ અને આત્મરમણતા એ બેમાં અહંકારથી અનેક વિઘો ઉપસ્થિત થાય છે. પિતાના આત્માને આત્મરૂપે માનીને બાહાકાર્ય કરવાની ફરજ અદા કરવા ઉપગ કરવામાં આવે છે તે અવબોધાય છે કે માન પરિણામને સેવ એ એક જાતની ભ્રમણા છે. માનપરિણતિથી આ વિશ્વમાં મનુષ્યમાં પરસ્પર અનેક યુદ્ધો થયાં છે, થાય છે અને થશે. માન યાને અહંકાર પરિણતિથી પ્રત્યેક કાર્યની ફરજને અદા કરવામાં મલીન બુદ્ધિ, સ્વાર્થ કપટ, લેભ, વિધાસઘાત, હિંસાભાવ, અસત્યવાદ, તૈયભાવ, પ્રપંચ, અને વૈર વગેરે દુણે સામા આવીને ઉભા રહે છે અને જે કાર્ય નિરભિમાનપણાથી સહેજે થાય છે તેને અશક્ય બનાવી દેવામાં આવે છે. પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે ફરજ બજાવે એ એગ્ય છે પરંતુ તેને અહંકાર કરવાની કંઈ જરૂર રહેતી નથી. અન્ય મનુષ્ય પિતાપિતાના સ્વાધિકાર પ્રમાણે કાર્યો કરે છે અને તેઓ આત્માઓ છે તેથી તેઓ તેની ફરજ (ટયુટી) બજાવવાના કારણથી તે તે સ્થિતિએ ગ્ય છે અને પિતે પિતાની સ્થિતિએ રેગ્ય છે, તેથી સર્વ મનુષ્ય કર્તવ્ય ફરજ તરીકે ભિન્ન ભિન્ન કાર્યો કરતાં છતા પણ સમાન છે તેમ છતાં અન્ય મનુ કરતાં પિતાના આત્માને જ્યારે ઉચ્ચ માનવામાં આવે અને તેઓને નીચ માનવામાં આવે ત્યારે અહંકાર ઉત્પન્ન થાય છે. આત્મા અને પુલ એ બેનું વસ્તુતઃ સ્વરૂપ વિચારવામાં આવે તે અહંકાર પરિ તિને સેવવાની કંઈ પણ જરૂર રહેતી નથી. ગુરૂને ધર્મ છે કે શિષ્યને ભણાવ અને શિષ્યને ધર્મ એ છે કે નિયમપૂર્વક ગુરૂની સેવા કરવી. ગુરૂ પિતાના ધર્મ પ્રમાણે શિષ્ય પ્રતિ પિતાની ફરજ અદા કરે છે તેમાં શિષ્ય પિતાને પગે લાગે છે તેથી અહંકાર કરે એવી પરિણતિ સેવવાની તેને જરૂર રહેતી નથી. શિવે ગુરૂને વંદન કરી પગે પડવું એ તેની પિતાની ફરજ છે તેથી શિવે અહંકાર કરીને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy