SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૩ ગંધ, સ્પર્શ અને શબ્દ વિષમાં શાતા અને અશાતાની માન્યતાને જ્યારે ત્યાગ થાય છે અને તે વિષયેમાં સમભાવ જ્યારે પ્રગટે છે ત્યારે આત્માના સ્વભાવમાં સુખભાવ પ્રકટે છે તથા તેથી બાાવિષ ના વનમાં રહેતાં હતાં નિર્લેપ રહેવાની શક્તિ પ્રકટે છે. તેથી પરિણામ એ આવે છે કે કામગની ઈચ્છાઓને વિરામ થવાથી શારીરિકવીર્યનુ પણ વયમેવ સંરક્ષણ થાય છે. કામની વાસનાઓને ક્ષય કરે હોય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક શબ્દાદિક વિષયમાં સમભાવ પ્રકટે એ અભ્યાસ સેવા જોઈએ અને રાજગપૂર્વક કામની વાસનાઓ ટળી જાય એ આત્મજ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરે જોઈએ. જ્યાં કામ ત્યાં રામ નથી અને જ્યાં રામ ત્યાં કામ નથી. મૈથુનકામની વાસનાઓથી સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારના અસહ્ય અનર્થો થયા કરે છે. કામની વાસનાઓથી મનની ચંચલતા વિશેષ વિશેષ પ્રકારે પ્રકટે છે અને આત્માની સત્યશાંતિથી સહસ એજન દૂર રહેવું પડે છે. કામની ઈચ્છાઓના અધીન રહેવાથી પરતંત્રતા, શેક, વિયોગ, ગ, આધિ, વ્યાધિ અને કલેશાદિની પ્રાપ્તિ થાય છે. જે જે અંશે કામગેચ્છાના સંકલ્પ વિકલ્પથી વિરતિ પ્રાપ્ત થાય છે તે તે અંશે આત્માની શાંતિને સહજાનુભવ આવે છે. કામભોગોની ઈચ્છાઓને હઠાવવી જ જોઈએ એ જ્યારે મનમાં દઢ નિશ્ચય થાય છે ત્યારે કામને પરાભવ કરી શકાય છે જ્યારે રવામાં પણ કદાપિ કામભોગનું ચિત્ર ખડું ન થાય અને આત્મવિભાવ રમણતાનું ચિત્ર ખડ થાય ત્યારે અવધવું કે બ્રહ્મચર્યની વારતવિક દિશા તરફ પ્રતિગમન કરાયું છે. કામગની નિંદા કરવા માત્રથી વા અન્ય મૈથુન કામીઓની નિંદા કરવા માત્રથી કામને જીતી શકાતો નથી. વરતુતઃ કામને છત હોય તે કામના સંકલ્પ વિકલ કેવી રીતે, કયાંથી, કયા કારણે, કેવા સંજોગોમાં, કેવી સુખ બુદ્ધિથી ઉઠે છે અને તેનું શું પરિણામ આવી શકશે તેને વિવેક પુર:સર વિચાર કરીને સત્ય સુખને માર્ગ અવલંબ જોઈએ. કામને જીતવા માટે આંતરિકેચ્છાએના પ્રાકટય પ્રતિ અત્યંત લય આપવું જોઈએ. કામની ઈચ્છાઓના પરિણામથી કર્મને બંધ થાય છે અને કામની ઈચ્છા ન પ્રકટે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy