SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ આત્મામાં મનની સ્થિરતા થાય છે. કામવિકારથી મન, વચન અને કાયાની શકિતની ક્ષણતા થાય છે. કામવિકારથી અનેક દેને ઉદ્ધવ થાય છે. જ્યાં કામવિકાર છે ત્યાં રાગદ્વેષ સંકલ૫વિકલ્પ પ્રચાર છે. એમ અનુભવીને કામવિકારની વૃત્તિને ક્ષય કરવા પ્રયત્ન કરે જોઈએ. જેમ જેમ કામવિકાર શમે છે તેમ તેમ બ્રહ્મચર્ય ગુણની પુષ્ટિ થાય છે. શબ્દાદિક પંચવિષયમાંથી ઈનિષ્ઠત્વ જ્યારે ટળી જાય છે ત્યારે બ્રહ્મમાં ચરવાને અર્થાત્ રમણતા કરવાને યોગ્યતા પ્રકટે છે. ચિંદ્રિયના વિષયમાં સમભાવ પ્રકટવાથી કામવિકારની શાંતિ થાય છે. જેનામાં કામવિકાર પ્રકટે છે તે અનીતિ વશ થઈને સહસમુખ વિનિપાતને પામે છે. જે મનુષ્ય કામવિકારને આધિન થાય છે તે સર્વ પ્રકારની અવિકતાને પામે છે. એક રીતિએ કથીએ તે સર્વ પ્રકારની આપત્તિનું મૂળ કામવિકાર છે. દેશની, રાજ્યની, સમાજની અને આ ત્માની પાયમાલી કરનાર કામવિકારે છે. કામના આવેશથી આત્માની સ્વતંત્રતાથી વિમુખ થવાય છે અને પુદ્ગલસ્કંધના રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ પુત્રની આશાએ ક્ષણિક સુખ અને પરિણામે મહાદુઃખમય પારર્તવ્ય ભોગવવું પડે છે. જેઓ કામની સત્તાના તાબેદાર થાય છે તેઓ આત્મારામના તાબેદાર રહેતા નથી. કામની સત્તાને તાબેદાર થએલ મનુષ્ય વિશ્વને તાબેદાર બને છે અને તેની આ ખેની ચોતરફ કાળું વાદળું (એક જાતનું એવું વાદળો છવાય છે કે જેનાથી તે સત્યદિશા તરફ ગમન કરવા શક્તિમાન થતું નથી. કામવિકારથી કેઈને સત્યસુખ પ્રગટયું નથી અને ભવિષ્યમાં પ્રગટ નાર નથી એમ અનુભવજ્ઞાનદષ્ટિએ અનુભવતાં સત્યાનુભવ આવ્યાથી પશ્ચાત્ કામગમાંથી ચિત્તવૃત્તિ ઉઠી જાય છે. તે વિના કદિ કામગમાંથી ચિત્તવૃત્તિનું પ્રતિક્રમણ થતું નથી. હડકાયેલા ધાન અને હડકાયેલા શગાલના વિષની પરંપરા જેમ પ્રવર્તે છે. હડકાયું સ્થાન જેને કરડે છે તેને હડકવા સાલે છે અને કરડે છે તે અન્યને હડકવા સાલે છે એમ હડકાયાની પરંપરા ચાલે છે તદ્દત કામની વાસના ખરેખર હડકવાની પેઠે મનની સાથે વર્યા કરે છે. મનમાં ઉત્પન્ન થએલ કામને વિકાર પિતે શમે છે અને તેની પાછળ કામની વાસનાનું મનમાં For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy