SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૫ ઉપદેશ શ્રવણ કરવા માત્રથી કંઇ અધ્યાત્મજ્ઞાનની ઝાંખી એકદમ પ્રગટતી નથી. પરન્તુ અધ્યાત્મજ્ઞાની મુનિવરોની અંતઃકરણપૂર્વક સેવા અને તેમના ઉપદેશપર વિશ્વાસ રાખવાથી તથા તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મસુખની અર્થાત્ મુક્તિસુખની ઝાંખી થઇ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખીના અનુભવ થયો એટલે સમજવું કે પરમાત્માના દર્શન થયાં. આત્માએજ પરમાત્મા છે અને તેનું સુખ અનુભવનાર પણ સ્વયમેવ આત્મારૂપ પરમાત્મા છે. અતએવ ઇન્દ્રિયાતીત આત્મસુખના અનુભવ થતાં પરમાત્માના પરાક્ષ દશામાં અન્તમાં પ્રત્યક્ષ સુખવેદનરૂપ સાક્ષાત્કાર થયા એમ માનવું. આત્મા સુખરૂપજ પરમાત્મા છે કારણ કે સુખગુણથી ગુણી એવા પરમાત્મા ભિન્ન નથી. જ્યારે ત્યારે પરમાત્મસ્વરૂપની ઝાંખી થાય છે તે વખતે આત્મસુખની ધૈન પ્રગટે છે, અને એ આત્મસુખની ધૈન જાણે ત્રણ ભુવનમાં ન સમાતી હોય એવી રીતે અન્તમાં તેનો અનુભવ આવે છે. આવેા અનુભવ અમને તે અંતરમાં ઉપયાગભાવે વેઢાય છે તેથી સ્પષ્ટ રીતે જગને જાહેર કરવામાં આવે છે કે ઈંદ્રિયાતીત સહજ સુખના અનુભવ તેજ પરમાત્મસ્વરૂપની ઝંખી છે. તેના અનુભવ કરવા હોય તો સર્વ સંગના પરિત્યાગ કરીને આત્માનું ધ્યાન કરે. આત્માનું ધ્યાન કરવાથી અને આત્માનું જ્ઞાન કરવાથી અને આત્માના સ્વરૂપમાં ઉપયોગે લીન થવાથી જગત્ની ધાંધલ ભૂલાવાની સાથે આત્મસુખનો અનુભવ પ્રગટ થાય છે. આત્મારૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો વશરીરમાં રહેલા અર્સખ્યાત પ્રદેશી આત્માને દેખે. જ્યાં જરૂપ અસત્ પર્યાય પદાર્થો છે ત્યાં ત્રણ કાળમાં પણ આત્મારૂપ પરમાત્મા પ્રાપ્ત થવાના નથી. અધ્યાત્મજ્ઞાનની શ્રદ્ધા ધારણ કરવા માત્રથી વા સર્વ સંગ પરિત્યાગની વાતા કરવા માત્રથી આત્મારૂપ પરમાત્માને ભેટી શકાશે નહિ. તમા પોતેજ શરીરમાં પરમાત્મા છે. આવરણક્ષાપશમે અંશે અંશે તમે પરમાત્મત્વનો વિકાસ કર્યા કરે છે અને અમુકકાળે સંપૂર્ણપણે તમે પાતાનેજ પરમાત્મપણે દેખો-અનુભવશે. પેાતાના આત્મા તેજ પરમાત્મા છે એવા નિશ્ચય થયા બાદ દીનતાના નાશ થશે અને સર્વ પ્રકારની આશાઓનો નાશ થશે. ત્યારે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy