SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૩ આત્મજ્ઞાનીઓએ સર્વ સંબંધમાં અને સર્વ કાર્યોમાં તટસ્થભાવ ધારણ કરીને શુદ્ધ પગે વર્તવું. જે જે ઇંદ્રિયદ્વારા જે જે કાર્યો થતાં હોય તેમાં સાક્ષીભૂત થઈને તટસ્થપણે દેખ્યા કરવાં અને તેથી પિતાના શુદ્ધાત્માને ભિન્ન અવલેક. આહારદિક્રિયાઓમાં આત્માને તટસ્થપણે અવલક અને આત્માના શુદ્ધપાગવડે આહાદિક્રિયાઓને તટસ્થપણે અવકવી. આ પ્રમાણે તટસ્થતાને અભ્યાસ વૃદ્ધિ પામવાથી સર્વ વસ્તુઓને બાહ્યથી સંગ છતાં અંતરથી નિઃસંગપણું પ્રગટવાનું અને સર્વ દોષમધ્યે રહેવા છતાં દોષથી મુક્તપણું રહેવાનું એવું પરિપૂર્ણ વિશ્વાસથી માનવું. અધ્યાત્મજ્ઞાની આ પ્રમાણે સર્વ કાર્યો કરતાં છતાં મુક્તિમાં પ્રવેશવાને તટસ્થતાને દરવાજો ઉઘાડી દે છે અને તેથી અધ્યાત્મજ્ઞાનીઓને મુક્તિમાં સહેજે પ્રવેશ થાય છે. આત્મજ્ઞાનીએ પિતાના આત્માને શુદ્ધ પગે ભાવ અને જે જે બાહ્ય વસ્તુઓના પરિચયમાં આવવું પડે છે તે બાહો વસ્તુઓમાં પરમાત્માના શુદ્ધ સ્વરૂપને અવલોકવાની ઉપચારથી ભાવના કરવી. આમ કરવાથી આત્માના ઉચ્ચભાવને નાશ થશે નહિ, અને આત્માની શુદ્ધતા બની રહેશે. આત્મજ્ઞાનીએ જે જે ક્રિયાઓ બાહથી કરવાની હોય તેમાં પરમાત્માને ઉપચારથી આ૫ કરીને તેમાં પરમાત્મારૂપ એયવૃત્તિથી સ્થિર થવું કે જેથી પરમાત્મભાવના એજ શુદ્ધાપગમાં પરિણામ પામે અને તેથી બાહ્યમાં નિબંધારું રહે. દરિયામાં મોતી કાઢવા ઉતરી પડેલા મનુષ્યની ચેતરફ અસંખ્ય મણ જળ હોય છે પરંતુ તે જલથી તારૂને નાશ થતો નથી. કારણ કે તારૂ તરવાની ક્રિયા જાણે છે તદ્દત વિશ્વમાં સ્વાધિકારે અનેકકાર્યમાં પ્રવૃત્ત થએલા જ્ઞાનગીને અનેક કાર્યો બંધન કરવા શક્તિમાન થતાં નથી. કારણ કે જ્ઞાનયેગી કર્મવેગને આદરતે છતે સર્વ કાર્યોમાં નિર્લેપ રહેવાના જ્ઞાનને ઉપગ કરી તેમાં અનાસક્તિથી પ્રવર્તે છે. સોમલ અફીણ વગેરે વિષ પદાર્થોને ઉપયોગ પૂર્વક વ્યાપાર કરનારને વિષ કાંઈ બાધ કરવા સમર્થ થતું નથી. તદ્વત્ જ્ઞાનયોગી કર્મયોગી બનીને વાધિકારે અનેક વ્યાવહારિક કાર્યોને કરે છે છતાં તેમાં તે અનાસક્તિ અને સાક્ષીભાવથી વર્તતા હોવાથી બંધાતો નથી. એ તેની સમ્યગ્દષ્ટિનું કાર્ય અવધવું. ભરરાજાએ પખંડ સાધતાં ૩૫ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy