SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ મળે ત્યાં સુધી સતી” “ ન મળે ત્યાં સુધી ત્યાગી ” “ કે ન બતાવે ત્યાં સુધી શાંત” “કામિની ન મળે ત્યાં સુધી નિષ્કામી ” ઈત્યાદિ તે જગમાં જ્યાં ત્યાં અવલકવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનનું મનન સ્મરણ કરીને આત્માને એટલે બધે ઉચ્ચ કરે જોઈએ કે દશ્યના શુભાશુભ પ્રસંગમાં સમાનભાવે પરિણમે. શાતા અને અશાતાના સ્થાનકે, પ્રસંગો, મેહનાં સ્થાનકે, પ્રસંગો, અને સાધનેમાં પિતાના આત્માની તુલના કરવી અને ઉપર્યુક્ત સ્થાને પ્રસંગો અને સાધનમાં જે આત્મા પિતાના ધર્મથી ચલિત થતું નથી એવું અનુભવાય તે વર્તમાન ચારિત્ર્યની ઉત્તમતા પ્રગટી ખરી એમ જાણવું. તેમજ પરભવમાં પણ હાલમાં પ્રાપ્ત થએલ અધ્યાત્મજ્ઞાન ગુણ ટકી રહેશે એમ અનુમાનપર આવવું. અધ્યાત્મજ્ઞાનની પરિપક્વતા કરવા અભ્યાસ સેવ અને ઉપર્યુક્ત સંગોમાં નિર્લેપતા રહે એવાં સાધનો વડે અનુભવ ગ્રહ. જેમ મહાધ રણમાં લડવા જાય છે ત્યારે તેના હૃદયમાં મૃત્યુ ભીતિ હતી નથી. નામરૂપની અહંવૃત્તિ વિસ્મરીને તે યુદ્ધ કરે છે તદ્વત આત્મજ્ઞાની વિશ્વરૂપ રણક્ષેત્રમાં મેહની સાથે યુદ્ધ કરે છે તે આવશ્યક કર્તવ્ય કાર્યો કરતે છતે શુભાશુભ પરિણામથી લપાતો નથી. અએવ આવશ્યક કર્મ કરવાને ખરેખરો અધિકાર નિર્લેપાધ્યાત્મજ્ઞાનિને ઘટી શકે છે. વિશ્વ લોકેના શુભાશુભ કોલાહલે વચ્ચે ઉભા રહીને નિર્લેપ રહેવાની શક્તિ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે અવબોધવું કે અધ્યાત્મજ્ઞાનની પરિપકવ દશા થઈ. સર્વ પ્રકારનાં આવશ્યક કાર્યો કરતાં છતાં અન્તમાં સર્વ જાતની કામનાઓને નાશ થાય ત્યારે અવધવું કે કર્મગિની ખરી દશા પ્રગટ થઈ. અધ્યાત્મજ્ઞાનવિના કર્મયોગને સત્યાધિકાર પ્રાપ્ત થતું નથી. અધ્યાત્મજ્ઞાનપૂર્વક કર્મગ સેવવાથી કયાંય બંધન પ્રાપ્ત થતું નથી. સર્વત્ર સર્વદા સર્વથા વાસ્ત વિક સ્વાતંત્ર્યકર્મ કરવાને અધિકાર પ્રાપ્ત કરે હેય તે અધ્યાત્મજ્ઞાનને આત્મામાં પરિણમાવવું જોઈએ “પ્રત્યેક કાર્ય કરતાં દુનિયા મહને શું કહેશે, આ કાર્યથી મહને યશ મળશે કે નહીં” ઈત્યાદિ જે જે વિચાર પ્રકટે છે તેથી આત્માની શક્તિને હાસ (નાશ) થાય છે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy