SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩૦ વિશ્વમાં સ્વધર્મની ચિરસ્થાયિત કરી શકાતી નથી. જે જે મનુષ્ય વિશ્વમાં કર્મયેગી તરીકે પ્રસિદ્ધ થયા છે તેમનામાં વ્યવસ્થિતપ્રબોધ હતો એમ તેમના ચરિતપરથી સ્પષ્ટ જણાય છે. પ્રીસ્તિધર્મ ફક્ત તેમના વ્યવસ્થિત બેધવાળા ધર્મગુરૂઓથી–નેતાઓથી વિશ્વમાં વિશેષતઃ ફેલાય છે અને તેથી પ્રીસ્તિધર્મની પાલકની સંખ્યામાં કરડે ઘણે વધારો થયો છે. જૈન ધર્મનાં સત્ય તત્ત્વ છે. શ્રી વીશમાતીર્થંકર વીરપ્રભુ સર્વજ્ઞ હતા. તેમણે જૈનધર્મની સ્થાપના કરી છે તેમાં એક સમયે કરડે મનુષ્યની સંખ્યા હતી. હાલ ધર્મપાલકની સંખ્યામાં ઘણો ઘટાડો થયે છે અને તેથી ભવિષ્યમાં જેનેની સંખ્યા સંબંધી ઘણે ભય રહે છે. તેનું કારણ એ છે કે જનધર્મના પ્રચારક આચાર્યો-ઉપાધ્યાપ્રવર્તક-સ્થવિરો-પંન્યાસે–સાધુઓ-સાધ્વીઓ-શ્રાવકે અને શ્રાવિ. કાઓમાં વ્યવસ્થિત બોધની સાથે પ્રવૃત્તિની ઘણી ન્યૂનતા થએલી છે. સાધુ-સાધ્વીઓ-શ્રાવકે અને શ્રાવિકાઓએ ચાર અંગોના સુવ્યવસ્થિત પ્રબોધથી અનેક પ્રકાર ધર્મપ્રચારક સુવ્યવસ્થાઓ છને જે જે ધાર્મિક કાર્યો કરવાં જોઈએ તેમાં વ્યવસ્થિતપ્રબોધ અને વ્યવસ્થિત કર્તવ્ય કાર્યપ્રવૃત્તિની ઘણું આવશ્યકતા સ્વીકારવી જોઈએ. અએવ ઉપગૃતવ્યવસ્થિત બેધપ્રવૃત્તિ પ્રમાણે અમુક વર્ષો પર્યત પ્રવૃત્તિ થશે તે જૈનેની સંખ્યામાં વધારે થશે. એવે સમય આવે એવું ઈચ્છવામાં આવે છે. વ્યવસ્થિતપ્રબંધક મનુષ્ય જે જે કાર્યો કરે છે તેમાં અલ્પ સમય, તન મન અને ધનને અ૫ વ્યય થાય અને હાનિ કરતાં લાભ અનન્ત ગુણે થાય એવું વ્યવસ્થિતબંધે નિશ્ચય કરીને વ્યવસ્થિત કાર્ય પદ્ધતિથી વ્યવસ્થિતક્રમ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. વ્યવસ્થિત કેમપ્રમાણે પ્રવૃત્તિ કરવી એવું જે પૂર્વે કથવામાં આવ્યું છે તે વ્યવસ્થિત પ્રબોધપર આધાર રાખે છે. વ્યવસ્થિત પ્રબોધવાળા મનુષ્ય સ્વાધિકારે જે જે કાર્યો કરે છે તેમાં દ્રવ્ય ક્ષેત્રકાલભાવે–સ્વશક્તિ-સામગ્રી અને સાનુકુલ પ્રતિકુલ સંબોને પૂર્વથી જ વિચાર કરે છે તેથી તેઓ પશ્ચાત્તાપપાત્ર બનતા નથી. વ્યવસ્થિત પ્રધથી અનેક પ્રકારના કર્તવ્ય આવશ્યક કાર્યોની વ્યવસ્થા કરી શકાય છે અને જનસમાજ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy