SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ પ્રતિકમણરૂપ ધર્માચાર પ્રાપ્ત થતાં કાયાના ઉપરથી મમત્વ ઉતરે છે. કાયાના ઉપરથી અહંમમત્વ ટળવું અને કાયાથી ભિન્ન ક સર્ગ એવા આત્માને ધ્યાવે તેને કાર્યોત્સર્ગ કહે છે. શરીઆવશ્યક. રના અણુઅણુમાંથી મમત્વને પરિણામ ઉઠે છે ત્યારે આત્માની નિર્ભય દશાને ખ્યાલ આવે છે. શરીરમાં થતી અહંવૃત્તિને નાશ થવે તેમજ નામાદિ કીત્તિ વગેરે વાસનાઓથી મુક્ત થવું એજ કાર્યોત્સર્ગને મુખ્ય ઉદ્દેશ છે. આત્માથી ભિન્ન એવી કાયા લાગે અને તેના પરથી મમત્વ ઉતરે; તથા આત્મા પિતાના શુદ્ધસ્વરૂપમાં લયલીન થાય એજ કાર્યોત્સર્ગનું મૂળ રહસ્ય મનન કરવા એગ્ય તથા આદરવા ગ્ય છે. કાયાપરથી મમત્વ ઉતર્યા વિના આત્માનું વીર્ય, ધેયં જાગ્રત થતું નથી. ગજસુકુમાલ, અવંતી સુકુમાલ, અને મૈતાર્ય મુનિ વગેરે મુનિએ કાયાપરથી મમત્વ ત્યાગ કરીને આત્મામાં સ્થિરતા લયલીનતારૂપ કાર્યોત્સર્ગ કર્યો હતો અને તેથી તેઓએ અન્તર્મુખે પગથી સમતા ભાવે ઉપસી સહીને આત્મામાં રહેલું અખંડ શુદ્ધ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું હતું. કાત્સગમાં ધ્યાનવડે અનેક મુનિએ અખંડાનન્દને પ્રાપ્ત કર્યો છે. કાયાનું મમત્વ પરિહરીને આત્માને આત્મરૂપે ધ્યાવારૂપ કાર્યોત્સર્ગમાં બાર વર્ષ અધિક કાળ પર્યત શ્રી વીર પ્રભુ રહ્યા હતા અને કાર્યોત્સર્ગમાં રહી ધ્યાનબળે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કાયોત્સર્ગમાં રહેવાથી આત્મબળ, શ્રદ્ધા, ધૈર્ય, અને શુદ્ધ પગની ધારા વધે છે તથા પોતાના સ્વરૂપમાં આત્મા પરિણામ પામે છે. તેને અનુભવ પિતાને આવે છે. કાર્યોત્સર્ગમાં પરમાત્માનું વા પિતાના આત્માનું ધ્યાન ધરીને આત્માની ઉચ્ચતામાં આગળ વધી શકાય છે. સાત નય અને ચાર નિક્ષેપથી કાર્યોત્સર્ગનું સ્વરૂપ સમજવાની જરૂર છે. કાયાના નિમિત્તે થતી અનેક પ્રકારની મેહવાસનાને ત્યાગ કરે તે કાર્યોત્સર્ગ છે. કાયાના નિમિત્તે થતા એવા અનેક વિકલ્પ અને સંકલ્પોને ત્યાગ કરે તે કાત્સર્ગ છે. આત્માના ધર્મની પ્રાપ્તિમાં દેહ, એક નિમિત્ત કારણ છે પણ દેહ એજ હું આત્મા એ દેહાધ્યાસ ત્યાગ્યા વિના આત્માના ગુણેની પ્રાપ્તિ થતી નથી. દેહાધ્યાસને ત્યાગ કરીને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy