SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવ કોઈ ધર્મકાર્યને સ્વાધિકારે કરી શકે છે અને કઈ જીવ કઈ ધર્મકાર્યને સ્વાધિકારે કરી શકે છે. કેટલાંક ધર્મનાં કાર્યો સર્વ મનુષ્યને પરોપકારાદિ સાપેક્ષે એક સરખી રીતે કરવાનાં હોય છે તે પણ તેના દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવાધિકારભેદે અનેક ભેદ પડે છે. અમુક મનુષ્ય સ્વાધિકારે જે ધર્મ પ્રવૃત્તિ સેવી શકે છે તેજ ધર્મપ્રવૃત્તિને તેનાથી ભિન્નાધિકારી સેવી શકતું નથી. ગૃહસ્થ મનુષ્ય અને ત્યાગી મુનિરાજે એ બને વર્ગ ધર્મનાં કર્તવ્ય કાર્યોને એવી શકે છે. ગૃહસ્થ મનુષ્ય દેશથી ધર્મની આરાધના કરી શકે છે અને ત્યાગીઓ સર્વથી ઉત્સર્ગદિ અપેક્ષે આએ નિરવદ્ય ધર્મકર્તવ્યકર્મોની આરાધના કરી શકે છે. શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની આરાધનામાં ગૃહસ્થ ગૃહસ્થદશાના વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે છે અને ત્યાગીએ ત્યાગદશાના સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે છે. ગૃહસ્થસ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થનાં કેટલાંક ધામિક કને ગૃહસ્થ સેવી શકે છે પરંતુ તેઓને સાધુઓ સેવી શકતા નથી અને સાધુધર્મના ત્યાગ ધર્માધિકાર પ્રમાણે સાધુ ચગ્ય કેટલાંક ધર્મ કાર્યોને સાધુએ સેવી શકે છે પરન્તુ ગૃહસ્થવર્ગ સેવી શકતું નથી. તેનું વિવેચન એગદીપિકા નામના અસ્મદીય પુસ્તકના પ્રાંતમાં કરવામાં આવ્યું છે. ધર્મનાં નિમિત્ત કારણોના અનેક ભેદ પડે છે. એક મનુષ્ય કંઈ ધર્મના સર્વ ભેદની પ્રવૃત્તિને આરાધવા શક્તિમાનું થતું નથી પરંતુ તેની દશા પ્રમાણે દ્રવ્યક્ષેત્ર કાલભાવથી જે જે ધર્મ કર્મને તે ક્ષેત્રકલાનુસારે આરાધના કરવા ગ્ય છે તેઓને તે આદરી શકે છે અને તે ધર્મ કૃત્ય કરવામાં તેના સ્વાધિકારની ફરજ અદા થાય છે તેમજ તેથી તે સ્વાત્માની પ્રગતિ કરી શકે છે. ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગે ગૃહસ્થ અને ત્યાગીને સ્વાધિકારે ભિન્ન ભિન્ન ધર્મને સેવવાં પડે છે. આપત્તિકાલમાં યુદ્ધાદિ પ્રસંગે વડે ગૃહસ્થ અને ત્યાગીઓને આપત્તિ ધર્મભેદે સેવવા પડે છે અને આપત્તિ ધર્મવડે ત્સર્ગિક ધર્મભેદોને પુનઃ સ્વાધિકારે પ્રાપ્ત કરવાનું લક્ષ્યબિન્દુ, સ્મરણમાં રાખીને આપત્તિકાલીન પ્રવૃત્તિ સેવવી પડે છે. દેશકાલાનુસારે ઉદારભાવનાથી જ્ઞાનીઓ સ્વાધિકારે ધર્મપ્રવૃત્તિયોને સેવે છે. જે દેશમાં જે કાલમાં જે મનુષ્ય ઉત્સર્ગ અને અપ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy