SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને કઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ સર્વજ્ઞ વીતરાગદેવ કથિત સમતાભાવ જે તેને પ્રાપ્ત થયે તે તે કર્મબંધનથી-મુક્ત થયા વિના રહેતું નથી. ગમે તે વેષ વા આચારધારકમનુષ્ય હોય પણ તે સમતા ભાવના ઉપાયેનું અવલંબન કરીને મુક્તિસુખની પ્રાપ્તિ કરે છે એમાં અંશમાત્ર સંશય નથી. બાહ્યધર્માચારેના મતભેદોમાં પરસ્પર ભિન્નધમએ રાગદ્વેષને વિષમભાવ ધારણ કરીને હૃદયની કલુષિતતા કરી સમતાભાવને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વજ્ઞ વીતરાગદેવ કથિત ધર્મના અનુષ્ઠાન કરે, જૈનવેદધર્મનાં અનુષ્ઠાને કરે, પરંતુ સમતાભાવ આવ્યા વિના પરમબ્રહ્મપદની મિક્ષપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમતાભાવ જેને આવે છે તે ગમે તે ધર્મને પાલક હોય તે પણ તે મુક્તિપદને પામે છે એમ કહેવું તે રજીસ્ટર સમાન છે. શ્રદ્ધાભક્તિનું સમાધાન કરીને જે સર્વજ્ઞાનુસારે કર્મવેગને આદરે છે તે અવશ્ય મુક્તિપદને પામે છે. પરમાત્માની ગુરૂની અને ધર્મની શ્રદ્ધાભક્તિવડે કર્તવ્ય કર્મ કરવાથી ચિતને કર્તવ્યકર્મમાં સંયમ થાય છે અને તેથી આત્માની કર્મગદશા પરિપૂર્ણ પક્વ થતાં છેવટે સમતાગની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞની આજ્ઞાનુસારે કર્તવ્ય કર્મ કરવાની જરૂર છે. પરાભાષાના સહજસૂમવિચારના અનુભવથી સર્વજ્ઞની આજ્ઞાની ઝાંખી આવે છે અને તેથી કર્તવ્ય કર્મ કરવામાં આત્મસ્વાર્પણ કરી શકાય છે. કર્મ સંબંધી જેટલું કથવામાં આવે તેટલું કથતાં છતાં પણ અનન્તગણું કથવાનું બાકી રહેવાનું. જૈનશાસ્ત્રમાં કિયાગ યાને કર્મયોગ સંબંધી ઘણું કથવામાં આવ્યું છે. પિંડમાં આત્માને સંબંધી અનુભવ આવતાં બ્રહ્માંડને અનુભવ આવે છે. કર્મવેગ સંબંધી વિશેષ અનુભવ તે ખાસ શ્રી સદ્ગુરૂની કૃપાથી અને તેમની ગમથી થઈ શકે છે. કર્મવેગ સંબંધી તે તે કાલમાં કમગીએ તે તે કાલાનુસારે અનેક પુસ્તક લખીને અનેકભાષણે આપીને તથા અનેકકર્તવ્ય કર્મો કરીને તે તે કાલના મનુબેને અનુભવ આપે છે. હવે આ સંબંધી વિશેષ ન કથતાં છેવટે સારરૂપ શિક્ષા કથવામાં આવે છે કે હે મનુષ્ય !!! હે આત્મન !!! સર્વ કમથી મુક્ત થવા અને અનંતસુખ પ્રાપ્ત કરવા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy