SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1014
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૦ ૯૫૩ હાય તે જૈનધર્મના વિચારો અને આચારે છે એમ રવકીયઅનન્ત ધર્મરૂપ આત્મધર્મ માનીને સ્યાદ્વાદ ધર્મકર્મમાં પ્રવર્તવું જોઇએ. આત્માના અનંતઅસ્તિમાં છે અને આત્માના અનન્તનાસ્તિધર્મો છે. અનંત અસ્તિધર્મોને અને અનંતનાસ્તિધર્માને આત્મામાં સમાવેશ થાય છે. આત્મામાં સર્વધર્મોને સમાવેશ થાય છે. અતએવ અનન્તસત્યાને, અનન્તસત્યાંશને આત્માના ધમતરીકે જાણી આત્માની શક્તિયેની પ્રકટતા કરવી જોઈએ, આત્માના અનન્તઅસ્તિધર્મોને અને અન ંત નાસ્તિધર્મોને અનેકધર્મવાળા ભિન્નનામપર્યાયેાવડે કથે અને અર્થની અપેક્ષાએય હાયતા તેમાં સાપેક્ષષ્ટિએ જૈનધર્મત્વ અવધવું જોઈએ. આ પ્રમાણે અનેકઅપેક્ષાવર્ડ યુક્ત જૈનધર્મને કોઈ વેદાન્ત કહે, કોઇ આર્યધર્મ કહે, કોઇ તેને સત્યધર્મ કથે, કાઇ તેને પ્રભુધર્મ કથેકોઈ તેને સર્વજ્ઞધર્મકથે, કોઈ તેને સાપેક્ષધર્મ કથે ઇત્યાદિ અનેક નામેથી કથે તેપણ તેનું વાસ્તવિક સ્વરૂપ એકજ રહે છે. આત્માની શક્તિયાને અર્પનાર અને વ્યવહારમાં સર્વકાર્યોમાં બળ અર્પનાર જૈનધર્મ પામીને વર્તમાન જમાનામાં સર્વપ્રકટની શુભશક્તિયેાના સ્વામી બનવું જોઇએ. સ્યાદ્વાઇનયષ્ટિથી વર્તમાન જમાનામાં સર્વધામિક તથા વ્યાવહારિકશુભશક્તિને ધારણ કરવામાં અપ્રમાદી બનવું જોઇએ. સર્વપ્રકારની નિર્બલતાના ત્યાગ કરવા જોઇએ. અન‘તજ્ઞાનાિ શક્તિયાના સ્વામી આત્મા છે. આત્માની સર્વશક્તિયાને પ્રકટ જે કરે છે તે જૈનધમી છે પશ્ચાત્ જાત્યાદિભેદે ગમે તે ગણાતા હાય તેપણ વિરોધ આવતા નથી. આત્માની અન તશક્તિયાના વિકાસ કરવાને માટે ચેાગનાં અષ્ટાંગોની સાધના કરવાની જરૂર છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચેાગનાં આઠઅંગે છે. અમદીયયેાગદીપકગ્રન્થમાં ચાગનાં આઠેઅંગોનુ વર્ણન કરવામાં આવ્યુ છે. શ્રીમદ્ હેમચંદ્રકૃત યોગશાસ્ત્રમાં ચેોગના આઠે અંગોનું અનુક્રમે વર્ણન કરવામાં આવ્યું છે. ચેાગનાં પુસ્તકો વાચ્યાખાદ ગુરૂગમપૂર્વક અષ્ટાંગાના અનુભવ કરવા જોઇએ. ધર્મકર્મપરાયણુગૃહસ્થાએ અને ત્યાગીમનુષ્યાએ પ્રીતિભક્તિપૂર્વક યોગના અષ્ટાંગાની આરાધના કરવી જોઇએ. આત્મામાં સત્તાએ રહેલી પરમાત્મશક્તિયાના જે સંબંધ કરાવે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy