SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૪ અધ્યાત્મ મહાવીર સ્વરૂપ ચિંતવ, શરીરમાં અસંખ્ય પ્રદેશી આત્મા વ્યાપી રહેલ છે, શરીરમાં આત્મા સર્વાગે વ્યાપીને રહેલ છે, તેના ઉપયોગમાં લયલીન થઈ જવું અને તે વખતે બાહ્ય ભાન રહે તે પિંડWધ્યાન છે. પિંડસ્થ ધ્યાન ધરવા માટે એકાંત નિર્જન સ્થાન, સ્મશાન, એકાંત ઉદ્યાનસ્થાન, નદીતટ, સરોવરતટ, રેતીરણ, સમુદ્રતટ, વૃક્ષઘટા, પર્વતગુફા, ભેયરું વગેરે અનુકૂલ અને રુચિકર સ્થળે પસંદ કરવાં. પિંડWધ્યાન ધરતાં સર્વ પ્રકારની લબ્ધિઓ, સર્વ પ્રકારના ચમકારો અને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રગટે છે, નાસિકાના અગ્રભાગમાં દષ્ટિ ધારણ કરીને જડ વસ્તુમાં આત્માનું પ્રતીક માની ધ્યાન ધરવાથી મનની સ્થિરતા વધે છે અને અશુભ સંકલ્પ-વિકલ્પને વિલય થાય છે. બ્રહ્માંડમાં જે કંઈ છે તે પિંડમાં છે—એ અનુભવ કરીને શરીરસ્થ આત્માનું ધ્યાન ધરવું. આત્મા સંપૂર્ણ જ્ઞાની થતાં સર્વ પ્રકારના યાનની પૂર્ણાહુતિ થાય છે. આત્મા સર્વજ્ઞ થયા બાદ પ્રત્યક્ષ જ્ઞાની થવાથી પશ્ચાત્ સ્થાન નથી. પરોક્ષજ્ઞાનમાં ધ્યાનની જરૂર છે, પ્રત્યક્ષ કેવળજ્ઞાનમાં યાનની જરૂર રહેતી નથી. તિભાવી આત્માની જ્ઞાનાદિ શક્તિઓને કર્મનું આવરણ ટાળીને આવિર્ભાવ કરે તે પૂર્ણ સિદ્ધગ છે. એ વેગ થયા બાદ ધ્યાનની જરૂર રહેતી નથી. પિંડ ધ્યાન ધરવાથી મારા ભક્ત જેનેમાં આત્મબળ પ્રગટે છે. તે પશુબળ પર સંયમ મૂકી શકે છે. પિંડસ્થધ્યાન માં પ્રવેશ કરવાને સદ્ગુરુનું આલંબન લેવું અને આત્મા માટે સર્વ વિશ્વ પરની મમતાને ત્યાગ અંતરથી કર. અષ્ટાંગ. યેગની સાધના કરવી તે પિંડસ્થધ્યાન છે. શરીરમાં પાંચ તત્ત્વને સંયમ કરવો તે પિંડWધ્યાન છે. પિંડસ્થાનના અનેક ભેદ છે. જેને જેથી લાભ થાય અને રસ ઊપજે તેણે તે ધ્યાનને અભ્યાસ કરવો. આત્માની શુદ્ધતા કરવારૂપ For Private And Personal Use Only
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy