SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માની પ્રભુતા ર૪૯ પરિણામ અને મેહ પરિણામથી અન્તરથી જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ફેરફાર પડે છે, માટે મારા પર વિશ્વાસ રાખીને વર્તો. તમ જ્ઞાની છે . અજ્ઞાની છે ? ધમી છે વા અન્તરમાં અધમ છે?તેના નિર્ણઝની માથાકૂટમાં ન પડે. તમે ફક્ત મારા પર વિશ્વાસ રાખીને કર્તવ્યકર્મો કરે, ગુરુ આદિની ભક્તિ કરો. જેના હૃદયમાં મારા પર વિશ્વાસ, પ્રેમ છે અને જે પુરુષાર્થ કરે છે તે ધર્મ અને જ્ઞાનના માર્ગમાં વહ્યા કરે છે, એવું પૂર્ણ વિશ્વાસથી માને. મારા પર વિશ્વાસ અને પ્રેમ રાખીને પુરુષાર્થ કરો. તમને આગને માર્ગ ન સૂઝે તે પણ પુરુષાર્થ ન મૂકો. તમારા પુરુષાર્થથી આગળને માર્ગ સૂઝશે અને તમારે છેવટે વિજય થશે. ‘ભવિષ્યમાં થનારાં અનંત જન્મ અને મરણોને તમારે શિડા જન્મમાં નિકાલ કરવાનું છે તેથી તમે ભૂલ, દેષ કે પતનથી એકદમ રહિત થવાના નથી, છતા પાછા પુરુષાર્થથી જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમારી નજીક ધ્યેય પ્રાપ્ય દેખાશે. વડતાઓને દિલાસો આપો, દુઃખીઓને દિલાસો આપો અને તેઓને મારા પંથે આવવાનો દઢ નિશ્ચય કરાવો. મારા પથમાં વહે. દેહ વગેરે સર્વ પ્રકારની સંતવાળી ત્રસ્તુઓમાં અંતને દેખે અને તેમાં સુઅને વિશ્વાસ ન મૂકો. અનંત એવા આત્મમહાવીરમાં સુખને વિશ્વાસ મૂકો અને વિશ્વમાં મુસાફરી કિરતાં કુત્રાપિ (કેઈ પણ જગ્યાએ) પ્રતિબંધ ન પામતાં પુરુપ્રાર્થથી આગળ વધો! આગળ વધો ! ખાવાપીવા વગેરે સર્વ પ્રવૃત્તિઓમાં આનંદી રહે. ઉદાસીનતાને સ્વમમાં પણ પાસે આવવા દેતા નહિ. શત્રુઓને ભય રાખ્યા વિના પુરુષાર્થ કરો. નિર્ભય પરિણામ અને તમે આત્મામાં છે અને ભય પરિણામ વખતે તમે મનમાં છે, માટે નિર્ભય બની પુરુષાર્થ કરે. પ્રકૃતિ પર અને આત્મા પર તમારી સત્તા છે. બન્નેમાં તમે પિતાને ભૂલીને ભયના For Private And Personal Use Only
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy