SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુને મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની ઓળખ રર તે માનવાને હક છે, અને સત્ય ન લાગે તે ત્યાગ કરવાનો હક છે. કેઈના મનને અને તનને મૃત્યુ આદિના ભયથી વા. વધથી ગુલામ બનાવવાનું કેઈને હક નથી. સ્વતંત્રતાને ધારે, પણ વિવેક વિનાની સ્વછંદતાને ત્યાગ કરે. સર્વ મનુષ્યોને સ્વાત્મરક્ષણ કરવાને અને અંતરમાં થતી સત્ય પ્રેરણા પ્રમાણે વર્તવાને હક છે. કેઈની સ્વતંત્રતા નાશ કરવા લક્ષ્મી, શાસ્ત્ર કે સત્તાને ઉપયોગ કરવો એ હિંસા અને વધ સમાન છે. કેઈની પણ ગુલામગીરી કરી સ્વધર્મથી ભ્રષ્ટ થવું તેના કરતાં યુદ્ધ ના મૃત્યુ શ્રેષ્ઠ છે. “પાપીમાં પાપી મનુષ્યોને પણ સુધરવાને વખત આપો અને તેઓને શુદ્ધ કરવા. પાપી સદાકાળ પાપી રહે અને નાસ્તિક સદાકાળ નાસ્તિક રહે એવો નિયમ નથી. સ્ત્રીઓને ગુલામડી જેવી ગણું વર્તવાથી દેશ, સમાજ, રાજ્ય અને ધર્મની ગુલામ દશા આવે છે અને સંતાનો પણ ગુલામ પાકે છે. જેમાં અને જૈન ધર્મમાં અનાદિકાળથી ગુલામપણું નથી. જૈનધર્મમાં સર્વ પ્રકારના સદ્ગણોને મારા જેવા ગણી માન આપવામાં આવે છે અને દુર્ગુણેના ત્યાગનો ઉપદેશ કરવામાં આવે છે. શ્રી ઋષભદેવ પ્રભુથી આ આરામાં (પંચમ કાળમાં) જૈનધર્મ પ્રવર્યા કરે છે. જેનધમેં લેકોને દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સેવા, પ્રેમ, મૈત્રીભાવને આચારમાં મૂકવાનું શીખવ્યું છે. જેના ધમેં અસત્ય યુદ્ધો અને અશાંતિને દૂર કર્યા છે. જૈનધર્મો અધર્મમય રીતરિવાજેનો નાશ કર્યો છે. જૈનધર્મે સર્વ વિશ્વમાં આત્મજ્ઞાનનો પ્રચાર કર્યો છે. સર્વ જીવોથી અભિન્ન જૈનધર્મ છે. સર્વ મનુષ્યને, પશુઓને અને પંખીઓને એકસરખે જીવવાને હક છે એમ મેં પ્રકાર્યું છે, અને જૈનધર્મને પ્રકાશ વા જૈનધર્મની સ્થાપના કરી છે. મારું બાહ્ય-આંતર સ્વરૂપ તે બાહ્યાંતર જૈનધર્મ છે. મન-વાણી-કાયાનું પિતાના For Private And Personal Use Only
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy