SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇન્દ્રાદિએ કરેલી સ્તુતિ પણું છે. આપને હું દાસાનુદાસ છું. આપની સર્વ વ્યાવહારિક અને આધ્યાત્મિક શક્તિઓને પામવું તે જ આપનું ભક્તપણું છે, જૈનત્વ છે અને એમ વર્તવું તે જ જૈન ધર્મ છે. બાકી રહેણી વિનાની શક કહેણીથી આપના ભક્તો કઈ બન્યા નથી અને -અનનાર નથી. આપના નામના જાપ જપીને અને આપની શક્તિઓને પામીને અનંત મહાવીરજીવન પ્રાપ્ત કરી શકાય છે. કલિયુગમાં શ્રી મહાવીર ! આપરૂપ બનવા જે પ્રયત્ન કરશે તેઓ જૈન ગણાશે. ગુલામ જેવી વૃત્તિવાળા, બાયલા, બીકણ, મરવાથી ભય પામી દુશ્મનના તાબે થનારા, સર્વ પ્રકારની વિદ્યાકળારહિત, સંપરહિત, આસ્વાર્થી, પરાક્રમથી રહિત અને આપના ઉપદેશના અવિશ્વાસી એવા મડદાલ જેવા પરાશ્રયી મનુ આપની સેવા-ભક્તિનું સ્વરૂપ જાણી શકતા નથી. આપ મરણિયા થયેલાઓને સહાય કરે છે. ઐક્યબળ તે જ આપનું આધ્યાત્મિક સ્વરૂપ છે, આપ ત્યાગની શક્તિઓને વિશ્વના લેકેમાં પ્રગટાવે. આપ જ સર્વ વિશ્વના સત્ય પ્રભુ છે. આપનું શરણ હે.” આમ સ્તુતિ કરીને વરુણ મૌન રહ્યા. કુબેરે કરેલી સ્તુતિ : શ્રી મહાવીરદેવની કુબેરે વંદન-નમનપૂર્વક સ્તુતિ કરી અને કહ્યું કે હે પરબ્રહ્મ પ્રત્યે ! આપે ગૃહસ્થાશ્રમ અને બ્રહ્મચર્યાશ્રમનું આદર્શ જીવન આચરી બતાવ્યું છે. જેમાં પરસ્પર આપ સરખી માનબુદ્ધિ રાખવાનું કહ્યું અને જેને તથા જૈન ધર્મને માટે તન, મન, ધન, સત્તા, પુત્ર, પુત્રી, ઘરબાર સવને કેમ કરવાનું દર્શાવ્યું. કલિયુગના અનુસારે ગુણકર્મ પ્રવૃત્તિ કરી ગૃહસ્થ જેનેએ પ્રવર્તવું. કલિયુગમાં પાખંડધમ એ મેહના તાબે થઈ જૈનધર્મીઓને–આને તાબે રાખવા જેવા પ્રયત્ન, કર્મો અને ઉપાયે કરે તે કાળે અને તે ક્ષેત્રે તેના કરતાં અનંત ગુણી યુક્તિ, For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy