SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :34 અધ્યાત્મ મહાવીર કુળનાં વખાણ કરવા લાગી અને કહેવા લાગી કે હે દેવાધિદેવ ! તમે વિશ્વમાં સત્ર માહુરાજાને પરાજય કરી અને ક્ષણમાત્ર પ્રમાદ કર્યાં વિના સજ્ઞપણાથી સર્વ લેાકેાને ધમમાં સ્થિર કરે અને અધમના નાશ કરે.’ પ્રભુના કુળમાં વૃદ્ધ એવા પુરુષો અત્યંત પ્રેમભક્તિથી પ્રભુને કહેવા લાગ્યા કે હે વૈદેહદિન્ત, જ્ઞાતકુલભાનુ, મહાવીર પ્રભુ! તમે વિશ્વમાં ધર્મના પ્રકાશ કરો અને અધર્મને નાશ કરી, સર્વ વિશ્વમાં જ્ઞાનના પ્રકાશ કરો, સર્વ પ્રકારના મિથ્યા પાખડાને દૂર કરી. વિશ્વમાં પ્રસરેલી નાસ્તિકતાને નાશ કરે. સર્વ પ્રકારના દુશ્મને પર જય થાય એવા એપ પ્રચારા,’‘જય જય શ્રી મહાવીર દેવ' એમ પ્રભુના નામના વિજયઘેષ કરવા લાગ્યા. ઇન્દ્રો પ્રભુ મહાવીરદેવની પાલખીને વારાફરતી ઉપાડવા લાગ્યા અને વીજશે! કરવા લાગ્યા તથા પ્રભુને મહિમા ગાવા લાગ્યા. દેવતાએ પચવણુ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા તથા ધનાદિકની વૃષ્ટિ કરવા લાગ્યા. કુળમડુત્તરિકાએ શિબિકામાં પ્રભુના ગુણ ગાવા લાગી. શ્રીમતી યÀાદાદેવી વગેરે રાણીએ, દેવીએ એકસરખા સરે શ્રી મહાવીરદેવના મહિમા ગાવા લાગી. તેમના ાગની મધુરતાથી ખેંચાઈ વનમાંથી હરણેા મહેાત્સવના વઘેાડામાં દાખલ થઈ આની ખન્યાં. પ્રભુના મહે।ત્સવમાં પાર વિનાની શેલા બની રહી. વઘેાડામાં ગાવાળિયાએ દેશપરદેશથી આવેલા. તેઓએ એવી તે વેણુ વગાડી કે તેના રાગથી આકર્ષાઇ ને હજારા લખે ગાય ત્યાં આવીને ખડી થઇ શ્રી મહાવીરનાં દર્શન કરવા લાગી. અનેક પ્રકારની દિવ્ય મેરલીના સ્વરથી મહાપ્રચ’ડ કાયવાળા ફણીધરા આવવા લાગ્યા અને પ્રભુ મહાવીરનાં દન કરવા લાગ્યા. તેઓને કાઈ એ ઈજા કરી નહી અને કાઈ ને તેઓએ ઈજા કરી નહી', એવા અદ્વૈત પ્રેમ છવાઈ ગયે, અનેક પ્રકારના દિવ્ય અને માનુષી વાજિત્રાના સ્વરથી સ્થૂલ-સૂક્ષ્મ રુષ્ટિમાં આનંદરસ વિકસવા લાગ્યા. For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy