SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૬ અધ્યાત્મ મહાવીર રોગની અનેક દવાઓના જ્ઞાતા થવું અને અન્ય લેકના હિતાર્થે ઔષધિઓ વગેરેને ઉપગ કરવો. પંચભૂતની શુદ્ધિ જાળવવી. શુદ્ધ હવાના સેવનથી શરીર જાળવવું. શુદ્ધ જળ વાપરવું. એ પ્રમાણે પ્રવર્તવાથી શરીર અને મનનું આરોગ્ય જળવાય છે. જેઓ દુષ્ટ લાલસાઓને તાબે રહે છે અને શરીરના વીર્યને નાશ કરે છે તેઓ રાજાઓ અને ચક્રવતીએ છતાં ગુલામેના ગુલામ એવા પામરો છે. તેઓ મારા બેધને તિરસ્કાર કરીને અનેક દુઃખના ભાજન બને છે. શરીરના જે જે અવયવને અત્યંત દુરુપયોગ કરવામાં આવે છે અને શરીરની જે જે અવયથી પર ઘાત કે પીડા કરવામાં આવે છે તે તે અવયવોમાં આ ભવમાં અને પરભમાં અનેક પ્રકારના રેગે પ્રગટી નીકળે છે તેમ જ મૃત્યુ વખતે તે તે અવયવમાં ઘણું દુઃખ થાય છે. શરીરનું વીર્ય જાળવીને મનવીર્યની વૃદ્ધિ કરવી અને મને વીર્યની વૃદ્ધિ કરીને મન:સંયમ દ્વારા આત્મવીર્ય પ્રગટાવવું. શરીરાદિથી અશક્તોને આ વિશ્વમાં સ્વતંત્ર અને નિર્ભયપણે જીવવાનો અધિકાર નથી. શરીરબળને ક્ષય કરનારાઓ અન્ય દુષ્ટ હિંસક લેકોના બળથી જિતાય છે. તેથી તેઓ ધર્મથી વિમુખ બની અને દુષ્ટ ધર્મના આશ્રિત બની આયપણું ગુમાવે છે. સ્વાધિકારે કર્તવ્યકમાં શરીરને વાપરવું અને પાપકર્મોથી. નિવૃત્ત થવું, એ જ મારા ભક્તોને કાયસંયમ છે. શરીરરૂપ નૌકાને અનીતિ, પાપ, કામનારૂપ વાયુ ખડકમાં ન અથડાવી દે તેને ખાસ ઉપગ રાખવે. જેઓ અપ્રશસ્ત ક્રોધાદિના આવેશથી કાયાને અન્યાય અનીતિ પાપકર્મમાં ઉપગ કરે છે તેઓ મહાદુઃખ પામે છે. ત્રણ ગુપ્તિને યથાગ્ય વખતે ધારણ કરનારા અને અન્યાય, જુલ્મ, હિંસાદિ પાપકર્મથી વિમુખ થનારા એવા મારા ભક્તો પર મારો પૂર્ણ પ્રેમ વર્તે છે અને તેઓને મારી સહાય મળે છે. તેઓને હું સ્મરણપ્રસંગે અનેક રૂપથી દર્શન આપું છું અને તેઓને ઉદ્ધાર કરું છું. For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy