SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગ-સંયમનું સ્વરૂપ ૩૧૩ લેભાદિ કષાયેના તાબે રહે છે. અનીતિમય કષાયને પ્રથમ નીતિમય કષાયારૂપ કરવા અને પશ્ચાત્ ધાર્મિક કર્તવ્યમાં પ્રશસ્ય કલાને કરવા. પશ્ચાત જેમ જેમ મારામાં પૂર્ણ લયલીનતા જામશે તેમ -તેમ આત્મા અકષાયી થશે. અનાદિકાળને કષાયના અધ્યવસાયે એકદમ દૂર ન થઈ શકે. જેઓ મારા ભક્તો અને અનુયાયીઓ બને છે તેઓ મારા વિશુદ્ધ સ્વરૂપમાં રમણતા કરીને છેવટે સર્વ કષાને ક્ષાયિકભાવે નાશ કરે છે. નાશ પામેલા કષા પાછા કદાપિ ન પ્રગટે એવા ભાવને ક્ષાયિકભાવ જાણુ. અધર્મમાં વપરાયેલા કષાયથી પાપકર્મની પ્રકૃતિએને બંધ થાય છે અને દેવ, ગુરુ કે ધર્માર્થે કરેલા કષાયોને શુભ કષાયે કહેવામાં આવે છે. તેથી પુણ્યપ્રકૃતિને બંધ થાય છે. તેથી મનુષગતિ કે દેવગતિનાં સુખની પ્રાપ્તિ થાય છે. દેવ, ગુરુ, ધર્મ, આત્મા, સંઘ આદિથી સેવાભક્તિમાં પ્રસંગે જે રાગાદિ કષા પ્રગટે છે તે કષાયથી શુભ સકામગીપણું પ્રગટે છે અને તે દશા પછી મારી ભક્તિમાં તથા મારા આત્મજ્ઞાનમાં સ્થિર થવાથી છેવટે સમભાવ દશાએ નિષ્કામગીપણું પ્રગટે છે. તેથી સર્વ કર્મો કરતાં અબંધ અવસ્થા રહે છે. પૂર્વે જે તીર્થંકરા, ઈશ્વર, ઋષીશ્વર થયા, તેઓનાં સેવા, ભક્તિ, આરાધનાદિ સર્વે મારી સેવા, ભક્તિ, ઉપાસનામાં સમાઈ જાય છે. મન, વાણી અને કાયમને આવશ્યક સર્વ કર્તવ્ય કર્મો કરવામાં પ્રથમ સકામભાવે ઉપગ થાય છે અને પશ્ચાત્ મારામાં પૂર્ણ લીન થતાં અબંધક નિષ્કામભાવ વડે મન, વાણી, કાયાથી કર્મો થાય છે. શુભાશુભ ભાવ પરિણામ વિના મન, વાણી, કાયાથી પિતાના માટે કે અન્ય જીવો માટે, દેવ ગુરુ અને ધર્માથે, સંધ, રાજયાદિક અર્થે, પરમાર્થે જે જે પ્રવૃત્તિ થાય છે તેથી આત્મામાં આમ્રવને સંબંધ રહેતું નથી. શુભાસ્રવ પુણ્યરૂપ છે અને અશુભાસ્સવ પાપરૂપ છે. મનથી શુભ વિચારે કરવાથી, વાણીથી પુણ્યનાં કૃત્ય For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy