SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ અધ્યાત્મ મહાવીર મારી ભક્તિથી વિમુખ બને છે અને અસત્ય માર્ગે જાય છે તેઓ મહિના ગુલામ બની ભયંકર દુખ પામે છે. જેઓ એકવાર જૂઠું બોલે છે કે કરે છે તેઓ લીટમાં લપટાયેલી માખીની પેઠે પાપમાં પડડ્યા કરે છે. અસત્ય બોલીને એ સત્યને છુપાવે છે તેઓ કેરિમુખવાળા વિનિપાતને પામે છે. ભવ્યાત્માઓ! તમે સત્ય વચન રાખે. અસત્યથી દૂર થાઓ. કેઈપણ લાલચથી પાપના માર્ગમાં ન જાઓ. દુષ્ટ પાપી લોકોની સંગતિ ન કરો. કેઈન બૂરામાં ઊભા ન રહો. કામ-મથુનભેગથી વિરામ પામે. નિર્દભપણે વર્તા. જેટલું કરે તેટલું કહે. તમે જેટલું સારું કરી શકે તેટલા તમે સારા છે. મારાથી કોઈ કાર્ય છાનું રહેનાર નથી. કેઈ ન દેખે ત્યાં હું દેખું છું, માટે ગુપ્ત પાપ ન કરે. કેઈ પણ ગુપ્તકર્મો મારાથી એક ક્ષણમાત્ર પણ કઈ છાનું રાખવા સમર્થ નથી. જ્ઞાનીઓની, ભક્તોની, સંતની, ગીઓની સેવા કરે. જ્ઞાન પામવા તેમને અનેક પ્રશ્નો કરે. સત્ય તે મારું માન અને અસત્યને પક્ષપાત ન કરે. કેઈના પાપપક્ષમાં ઊભા ન રહે. જે બાબતમાં તમે સત્યને નિશ્ચય ન કરી શકતા હો તે બાબતમાં મધ્યસ્થ રહે. પરસ્પર એકબીજાને મળતાં એકબીજાને મારા નામના જયબ્રેિષપૂર્વક માન આપે. સલાહ માગનારને ચગ્ય સહાય આપે. માન, કીર્તિ, પ્રતિષ્ઠા કરતાં મારા ઉપદેશ પ્રમાણે વર્તવામાં ખાસ લક્ષ રાખે. પરભવમાં જતાં ધર્મ જ શરણરૂપ છે. જગતનું ચક્ર ક્રમ પ્રમાણે ચાલ્યા કરે છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમથી જડ-ચેતનાત્મક જગતનું યંત્ર ચાલ્યા કરે છે. દેહ-પ્રાણ છોડવાની પૂર્વે ત્રીજી જ્ઞાનદષ્ટિ ખેલે. કેઈન પર એકદમ સાચો કે ખે અભિપ્રાય ન બાંધે. જ્યારે ભૂલે ત્યારે પશ્ચાત્તાપ કરે. કેઈ પર અન્યાય થયો તે તેની પાસેથી માફી માગે, અપરાધીઓ પર દયા For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy