SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ અધ્યાત્મ મહાવીર અનાદિકાળથી આત્માની સાથે દાનવશક્તિઓ રહેલી છે. દાનવશક્તિઓને જે જે અંશે જીતવામાં આવે છે અને આધ્યાત્મિક દૈવી જ્ઞાનાદિ શક્તિઓને જે જે અંશે પ્રગટાવવામાં આવે છે. તે તે અંશે આત્મા જિન તથા જૈન બને છે અને તે અંશે જેનસામ્રાજ્ય પ્રાપ્ત કરી શકે છે. તે તે અંશે તે આધ્યાત્મિક ધર્માદ્ધા, અરિહંત, પ્રભુ બને છે. પૂર્ણ દેવી શક્તિ પ્રાપ્ત કરવાવાળા આત્માએ પરબ્રહા બને છે. તેઓ જ પરિપૂર્ણ, સ્વતંત્ર, પરમાત્મા અને. સિદ્ધો જાણવા જગત જડ અને ચેતન તત્વ એ એનું બનેલું છે. જેઓ જડ જગતમાં મેહ પામતા નથી, વિષયવાસનાની વૃત્તિઓને જીવે છે અને આત્માના શુદ્ધોપગમાં રહે છે તેની આગળ દાનવશક્તિઓનું જરા માત્ર જોર ચાલી શકતું નથી. જે વિષયોમાં બંધાતા નથી, શરીરનાં રૂપ તથા અહંતા–મમતાએ બંધાતા નથી અને આત્મામાં જ અનંત સુખનો નિશ્ચય કરે છે તેઓને આ વિશ્વમાં કઈ બાંધવા. સમર્થ થતું નથી. આધ્યાત્મિક દૈવી શક્તિઓનો પ્રકાશ એકદમ સર્વને એક ભવમાં થઈ શકતો નથી અને દાનવશક્તિઓને એક ભવમાં એકદમ વિનાશ થતો નથી. મેં અનેક અવતારો વડે તીર્થંકરપદ પ્રાપ્ત ર્યું છે. અનેક અવતારો લઈને જ આગળ ચડે છે. જેએ. શુદ્ધાત્મમહાવીરના સ્વરૂપને જાણે છે તેઓ મનમાં તેનું ધ્યાન ધરે. છે અને જાપ પણ તેને જપી નિર્વાણ પામે છે. મહાવીર પ્રભુનું સર્વત્ર સત્તાએ અસ્તિત્વ: મારા પ્રિયાત્માઓ! આ વિશ્વમાં તમે આગળને આગળ આભેન્નતિ પ્રકટ કરવાને માટે એકબીજાને પરસ્પર સહાય આપે. સર્વ જીવોની સાથે અભેદ અનંતદષ્ટિથી વર્તો. સભાઓની વિરાટ સ્વરૂપસત્તારૂપ પરબ્રહામહાવીર હું છું, એમ સર્વમાં સત્તાદષ્ટિથી For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy