SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વસામાન્ય બેધ ૧૯૯ પિતાની પાછળ. પિતાના કરતાં વિશેષ બળવાન, નીરોગી, જ્ઞાની, ગુણ અને સર્વ શુભ શક્તિવાળી પ્રજા અને સંતતિ પ્રકટે એવા ઉપાયે સે. પોતાના સમાન સંતતિને ઉત્તમ બનાવે. સર્વના જીવનને ભાગ ગ્રહીને જીવે છે તેથી તમારા જીવનમાં સર્વનો ભાગ છે, એમ સમજી તમારા જીવનનો સર્વ માટે હોમ કરો. બાહ્ય જીવન અને આંતરજીવનનો સર્વ વિશ્વ સાથે સંબંધ છે. અન્યનું જીવન સારું કરશે તે પિતાનું જીવન સારું થશે પિતાના આત્માના ગુણ પ્રકટ કરે. આયુષ્યની એક ક્ષણ પણ નકામી ન જવા દે. બળવાન બનીને દયા કરે. નિર્બળને દયાનો અધિકાર નથી. નિબળે પર દયા કરો. તમારા ભલા માટે આ વિશ્વની શાળા છે અને તેમાં સુખ, દુઃખ અને તેના હેતુઓ શિક્ષકે છે. વિશ્વશાળામાં ડગલે ડગલે શિક્ષણ મળે છે. જેવી ભાવનાથી પિતાને જોશે તેવા તમે બનશે. જેવું કરશે તેવું પામશે. એક પણ શુભ વા અશુભ વિચાર કરે સુખ કે દુઃખ આપ્યા વિના રહેતું નથી. શુભ કાર્યમાં મરણનો વિચાર ન કરો. અત્યંત સાહસ કરીને આવતિમાં આગળ વધે. પિતાના અને વિશ્વના ભલા માટે સર્વ દુઃખ સહન કરે. ભૂલ અને દેષ કરનારાઓને માફી આપો અને સુધારે. ઉદાર મન કરો અને ઉદારતાથી વર્તે. સત્યમાં મરે અને સત્યમાં જીવે. ન્યાયમાં મરે અને ન્યાયમાં જીવે. જૈનધર્મ પાળવામાં છે અને મરો. આત્માના ગુણેના પ્રકાશાથે છે અને મરે. તનના આહાર કરતાં મનના આહાર અને મન કરતાં આત્માના ખોરાક માટે વધારે છે અને મારો અને તે માટે વખત ગાળે. મનને આત્માનું ભક્ત બનાવે. આત્માની આજ્ઞા પ્રમાણે મનને વર્તા. - સર્વ લોકે! તમે એકબીજાને મળતાં મારું નામ સદા ગ્રહણ કરે. સર્વ જૈનો ! તમો એકબીજાને પરસ્પર ઉચ્ચનીચ ન For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy