SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ અધ્યાત્મ મહાવીર આઠમી ભૂમિકામાં આત્મા આત્મજ્ઞાનના ઉપગે વર્તે છે. પૂર્વે આત્માની જે જે શક્તિઓ પ્રગટ નહતી થઈ તેને હવે તે ધ્યાનસમાધિથી પ્રગટ કરે છે. તે આત્મશક્તિઓની આગળ જડની શક્તિઓને કંઈ હિસાબમાં ગણતું નથી. તેથી તે અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓમાં મેહ પામતો નથી. શુદ્ધાત્મપરબ્રહામાં તેનું મન વત્ય કરે છે. બાહ્ય. વ્યવહારમાં તે મૂંઝાતો નથી. શાસ્ત્રો, ગુરુએ વગેરે બાહા આલંબન વિના હવે તે આત્માનું જ આલંબન કરે છે, શુકલધ્યાન ધરે છે, સવિકલ૫ મનને નિર્વિકલ્પ કરે છે અને સંપ્રજ્ઞાત સમાધિમાંથી અસંપ્રજ્ઞાત સમાધિમાં આત્માને મૂકે છે. હઠયોગને પણ તે આશ્રય કરતો નથી. સવિકલ્પ સમાધિમાંથી નિર્વિકલ્પ સમાધિમાં આવવા તે અપૂર્વ સામર્થ્ય પ્રકટાવે છે. ત્યાંથી આગળ નવમી ભૂમિકામાં પ્રવેશ કરે છે. ત્યાંથી તે પાછા ફરતે નથી–તે નિવૃત્તભાવને પામતે નથી, પણ આગળની ભૂમિકામાં ચઢવાનું સામર્થ્ય પ્રગટાવી આત્માના સૂવમ ઊંડા સ્વરૂપમાં ઊતરવા માટે મનને અત્યંત સૂમ કરે છે. આત્માને સૂક્ષ્મ શુદ્ધોપગ પામી, દશમી ભૂમિકામાં સૂક્ષ્મોપગી આત્મા બનીને સૂમ કષાના ઉદયને અગિયારમી ભૂમિકામાં ઉપશમાવે છે. તે આત્માનું અનિષ્ટ કરનારાઓ ઉપર ઉપશમભાવ ધારે છે. દેહરાગ અને મનરાગને પણ તે ઉપશમ કરે છે. તે સિદ્ધિઓ, ચમકારે દેખાડવાના લેભનો ઉપશમ કરે છે. તે બારમી ભૂમિકામાં સર્વથા મહાદિક ઘાતિપ્રકૃતિએને ક્ષય કરે છે. આત્મધ્યાન અને સમાધિથી ઘાતિ આવરણે અને મળને ક્ષય કરી અને સર્વજ્ઞ, સર્વદશી, જીવન્મુક્ત બની તેરમી ભૂમિ કામાં શુભાશુભ પ્રારબ્ધને વેદતો છતો મન, વાણું, કાયાથી સર્વ જીનું ભલું કરે છે. બારમી ભૂમિકામાં અન્તરાત્મા તરીકે થયેલ આત્મા તેરમી ભૂમિકામાં પરમાત્મા પરમેશ્વર બને છે. ત્યારે તે સર્વજ્ઞ, સર્વદર્શી, મહર્ષિ, પરમગી, જિનેશ્વર, અરિહંત, વિષ્ણુ For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy