SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકાંતિક દેવ અને રષિઓનું આગમન ૧૭૭ કે ત્યાગમાં હર્ષ–શક વિના પ્રવૃત્તિ કરે છે. આત્મજ્ઞાનીને કોઈપણ પદાર્થ બંધન કરવા સમર્થ થતું નથી. મમતા–મોહમાં જેઓ પરિણમ્યા વિના સ્વાધિકારે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે છે તેઓ અધ્યાત્મત્યાગીઓ છે. બાહ્ય ત્યાગીઓ કરતાં અધ્યાત્મત્યાગીઓ અનંતગુણ મહાવિશુદ્ધ છે. દેહાધ્યાસ વિના જેઓ પાંચે ઈન્દ્રિયના ભોગે ભેગવે છે તેઓ વિષચમાં નિલેપ રહે છે. વિષયોના ભેગમાં જેઓને મમતા નથી, વિષને નાશ થતાં જેઓને શેક કે ચિંતા નથી, જેએની શુદ્ધબુદ્ધિમાં ગ્રહણ–ત્યાગની કલ્પના નથી એવા આત્માએ ગૃહસ્થાશ્રમમાં અને ત્યાગાશ્રમમાં નિર્લેપ રહે છે અને તેઓ વિશ્વનું કલ્યાણ કરે છે. જેઓ ગ્રહણ કરેલા રાગ-દ્વેષને ત્યાગે છે તે સત્ય ત્યાગી છે. અશુદ્ધતા ત્યાગવી અને શુદ્ધતા પ્રાપ્ત કરવી તે જ ત્યાગ છે. જેનાથી અનંત દુઃખ થાય છે એવા મહાદિ દેને ત્યાગ જે જે અંશે થાય છે અને આત્મરાગ જે જે અંશે પ્રગટે છે તે તે અંશે ત્યાગીપણું છે. અરમયાં વાસ કરવા માત્રથી કઈ ત્યાગી કે મુનિ બની શકતો નથી. જ્ઞાનથી ત્યાગી અને મુનિપણું પ્રાપ્ત થાય છે. અન્યના ઉપકારાર્થે તન, મન, ધનાદિકનો કે માન, સન્માન, કીર્તિ વગેરેને જે ત્યાગ કરે છે તેને ત્યાગી જાણ. જે મનુષ્ય ત્યાગીઓ બને છે તેઓ સર્વ બાબતમાં અંતરથી નિસ્પૃહ બને છે. બાહ્યથી ઈન્દ્રાદિકની જેટલી સર્વ પ્રકારની ઋદ્ધિવાળા હોય, પરંતુ જેઓ અંતરથી તેમાં મમતારહિત છે અને ઝદ્ધિને સર્વ શુભ બાબતમાં સદુપગ કરે છે એવા ત્યાગાશ્રમના ત્યાગીઓ બાહ્ય અદ્ધિમાં હર્ષ, શોક અને મમતા વિનાના હોવાથી આંતરત્યાગીઓ છે. જે સ્ત્રીઓનો ત્યાગ કરે છે પણ અંતરથી કામવાસનાના ત્યાગી બનતા નથી તેઓ આંતરત્યાગી નથી. બાહ્યથી ઈન્દ્રની અસરાના સમાગમમાં આવવા છતાં પણ જેઓના મનમાં વિષયભેગની બુદ્ધિ કે કામવાસના પ્રગટતી નથી તે સત્ય ત્યાગી છે. For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy