SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ મહાવીર પડદાઓને શુદ્ધ પગથી ચીરી નાખો અને આવરણરહિત બની -જીવન્મુક્ત બને. જલબિંદુઓને સાગર બને છે તેમ આત્મપુરુષાથથી અનંત સુખ મળે છે. તેને માટે આત્મામાં પૂર્ણ પ્રેમથી એક્તા અને અભેદતા અનુભવો. મતમતાંતર, ભેદ વગેરેને ત્યાગ કરી વિશ્વ સાથે અભેદતા અનુભવે. મનુષ્યભવના બીજા અવતારે લેવા પડે તે ભલે લે, પણ એ અનેક ભવમાં આશા, ખંત, પુરુષાર્થ, ઉપગ, ચારિત્ર અને જ્ઞાનથી શુદ્ધ બની અનંત સુખના ભેગી બનો. બોલ્યા કરતાં કરે. બોલવું એ રૂક્યું છે અને કરવું એ સુવર્ણ છે. વાર્તામાં વખત ન ગાળો. આશામય જીવનથી આત્મમહાવીરને પ્રાપ્ત કરો એટલે અનંત સુખસાગરરૂપ પોતે પોતાને દેખી શકશે. મનુષ્ય ! મુક્તિનું સુખ હૃદયમાં છે. તેની આગળ શરીરસુખ ક્ષણિક છે. તમે પુરુષે, સ્ત્રીઓ, બાલકે અને વૃદ્ધો વગેરેની રક્ષા કરો. વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ ઘેરઘેર મળે, ઘેરઘેર ગુરુકુલે થાય અને વંશપરંપરાએ ઉત્તમ શિક્ષણ મળતું જાય એ બંદબસ્ત કરો. સત્ય અને શુભ પ્રતિજ્ઞાઓના પાલક બનો. પૂર્ણ વિવેક કરીને પ્રતિજ્ઞાઓ લે અને એ પ્રતિજ્ઞા પ્રમાણે વતે. વખતસર કાર્ય કરવાની ટેવ પાડો. વખતની કિંમત જેઓ જાણતા નથી તેઓ સમય કરતાં અનંતગુણ મહાન એવા આત્માની મહત્તા તે કેવી રીતે જાણું શકે ? મારે કોઈપણ ભક્ત “મને સક, કર્તવ્ય કર્મો કરવાને વખત મળતો નથી એવું કહેતા નથી. વખત લાવો પિતાના હાથમાં છે. વખત મળે કાર્ય કરીશું એમ બેલનારાઓ આલસ્યરૂપ રાક્ષસના પંજામાં સપડાયેલા છે. મનુષ્યમાત્રને પોતાના જીવનમાં સત્કર્મો કરવાને સમય મળે છે. સમયને પિતાના તાબામાં લેનાર આત્મા છે. કોઈ રાજાને ત્યાં જન્મેલ હોય અને કોઈ For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy