SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષામહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ ૧૨૩ ઘરમાં સ્વર્ગ મારા ભક્તો ઘરમાં સ્વર્ગ રચે છે. તે ઘરને, કુટુંબને, જ્ઞાતિને, સંઘને, કેમને, દેશને અને આખી દુનિયાને સદ્ગુણ વડે સ્વર્ગ બનાવે છે. એકબીજાના પ્રેમમાં, એકબીજાનું સહુને કરવામાં, એકબીજાનાં દુઃખોના નિવારણમાં, એકબીજાની પરતંત્રતા હરવામાં અને આત્મમહાવીરભાવે એકબીજાને દેખીને તે પ્રમાણે પ્રવર્તાવામાં ઘરમાં અને જંગલમાં સ્વર્ગ છે. મનમાં ઊપજતા પાશવિક વિકારો પર જય મેળવવાથી અંતરમાં સ્વર્ગ પ્રગટે છે અને તેથી આખી દુનિયામાં જ્યાંત્યાં તમને સ્વર્ગ જણાશે. શરીરમાં સ્વર્ગ: મનુષ્યો ! દુઃખ અને વિપત્તિના સાગરે સામે દેખાય અને તેમાં ડૂબી જવાનો વખત આવે તો પણ તમે સત્ય અને ન્યાયથી પ્રવર્તે. તમને તેવા પ્રસંગે અન્તરથી તમારી ઉન્નતિ થાય તે મારે પ્રકાશ મળશે તેવો વિશ્વાસ રાખો. જે સ્ત્રી અને પુરુષે સર્વ પ્રકારના ધનથી અને રાજ્યાદિક સત્તાથી સુખી થવા ધારે છે અને તે માટે ભ્રમમાં ભૂલી હજારો, લાખો, કરોડે પાપ કરે છે તેઓ મારા બધથી વિમુખ બની અજ્ઞાનાંધકારમાં પ્રવેશ કરે છે. તેઓ પિતાના હાથે પિતાના શત્રુ બને છે અને મનુષ્યભવ હારી જાય છે. દુષ્ટોથી સાવધ રહો. પાપીઓને સુધારવા માટે મારી પ્રાર્થના કરો. સત્ય પ્રેમ ખીલવો. પ્રથમ પિતાના ઘરમાં, પિતાના પ્રેમીઓમાં સદ્ગુણનું સ્વર્ગ પ્રકટ કરો. જેઓ પિંડમાં સ્વર્ગ રચે છે તેઓ બ્રહ્માંડમાં સ્વર્ગને પામે છે. મનમાં સ્વર્ગ: જેઓના અપરાધે કર્યા હોય અને જેઓના આત્માઓને અનેક પ્રકારે સતાવ્યા હોય, પીડડ્યા હોય તેઓની માફી માગે અને તે માટે હૃદયમાં મારું સ્મરણ કરી પશ્ચાત્તાપ કરો. સ્વાર્થના વશમાં અનેક પ્રકારનાં પાપ ન કરી બેસે. ઘરમાં સર્વ મનુષ્યની For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy