SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ ૧૦૭. સત્કાર કરે અને બહુમાન તેમ જ પ્રેમપૂર્વક ભોજન જમાડવું. નિયમિત વખતે આવેલા અતિથિઓને ભેજન કરાવવું અને જેમ બને તેમ તેઓને સાથે લઈને ભોજન કરવું. ઘરનાં દાસદાસીઓ અને કરેની સાથે જનભેદ કરવાથી લક્ષમી, કીર્તિ, એક્ય, બલાદિને નાશ થાય છે. ઘરનાં અને કુટુંબનાં સર્વ મનુષ્યની તેમ જ પશુપંખીની ભેજનવ્યવસ્થા બરાબર કરવી અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને વિવેક કરી ભોજન કરવું. અતિથિસેવા : ગૃહસ્થો અને ત્યાગીઓએ પિતાને ત્યાં આવેલા અતિથિ એની પ્રેમ અને બહુમાનપૂર્વક સેવા કરવી. આર્યોનું અનાદિકાલથી અતિથિસેવાનું પરમ કર્તવ્ય છે. પોતાને ઘેર આવેલા અતિથિ. એની સામા ઘર બહાર જવું. તેમને નમન કરવું. તેઓના પગ ધોવા. તેઓને ક્ષેમકુશલ પૂછવું. પિતાના ઘેર પધાર્યા તે માટે તેમને આભાર માન અને પિતાના આત્માદિને ધન્યવાદ દેવો. અતિથિઓની ખાવાપીવાની વ્યવસ્થા રાખવી. અતિથિઓને સત્ય. પ્રેમથી બેલાવવા અને તેઓને ખુશમિજાજમાં રાખવા. ગૃહસ્થ અગર ત્યાગીઓ, પુરુષો અગર સ્ત્રીઓ પોતાને ઘેર આવે ત્યારે શક્તિ પ્રમાણે તેઓની સેવા કરવી. તેઓની સાથે સભ્યતાથી વર્તવું. તેઓને શેભે એવા રીતરિવાજથી તેઓની સાથે વર્તવું. અતિથિની સારી રીતે સંભાળ રાખવી અને તેઓની સાથે દેશકાલાનુસાર વિવેકથી વર્તવું. પિતાના ઘેર પધારેલા એવા શત્રુઓનું પણ અતિથિ તરીકે સ્વાગત કરવું, પણ તેઓ પોતાને દળે ન દે એવી રીતે સાવચેતીથી વર્તવું. યથાશક્તિ અન્નદાન દેવું. આવક પ્રમાણે વિવેકપૂર્વક વસ્ત્રો પહેરવાં અને વસ્ત્રો સ્વચ્છ રાખવાં. પિતાના ઘેર આવેલા અતિથિઓનું કદી અપમાન કરવું નહીં. આર્યાવર્તમાં અતિથિની પ્રભુ પકે સેવાચાકરી કરવામાં આવે છે, તેથી આર્યાવર્તમાં મહાપુરુષોને અવતાર થાય છે. ગમે. For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy