SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૦) કક્કાવલિ સુબોધ-ટ. ટકારવું સમજુને સારૂં, ગમારને લાગે ન ટકેર; ટક્કર ઝીલે સાવધ જૈને, ઉભું રહીને ફેરવ જેર. ૧૩ ટગુમગુ ચાલે એવાં બાળક, વય અભ્યાસે મારે દેટ ટગુમગુ ચાલકની હાંસીને કરવી નહીં કરતાં છે ખટ. ૧૪ છે ટચકે લાગે થા ! નહીં ક્રોધી, ટચકાનું પ્રતિકૂલ કર ! બેશ ટચકા સારી રીતે સાર, ભૂંડા ટચકે મૃત્યુ કલેશ. ૧૫ ટટળા || નહીં કેને કયારે, સ્વાશ્રયી થેને રહે !! ટટાર; ટડપડ ઝંડી દેવી ખોટી, ટક ન લાગે તેહ ગમાર. છે ૧૬ ટણક લાગે તે મન જાગે, સારી બાબતમાં તે બેશ; ટણકે ન લાગે સન્ત વા મૂઢને, કણકે એ પણ છે ઉપદેશ. ૧૭ ટપકિયું ટચકિયું છે પાપે, આયુષ્યને આવે છે અંત, ટપકું સમજે તેજ ન મુક્તિ, પામે સમજે જ્ઞાની સંત. તે ૧૮ છે ટપલી સારી શિક્ષા માટે, સમજે તેની ભાગે ભૂલ; ટપલી મારવી ટપલી સહવી, ગુણ માટે મનમાં નહીં ફૂલ !!. ૧૯ ટમટમવું શુભ માટે સારું, આશાએ ટમટમવું થાય; ટહેલ છે આશાથી જ્યાંત્યાં જગ, ટહેલ છે ઉપકારે સુખદાય. ઘરના ટહેલવું નિર્દોષી તે સારૂં, વિશ્રામ શાંતિ અર્થે બેશ; ટળવળવું પ્રભુપ્રાપ્તિ માટે, સગુણ માટે નાસે ક્લેશ, છે ૨૧ છે ટળી જતાં દુ:ખે સહુ જગમાં, પદયથી ધર!! વિશ્વાસ ટંકારા તે શુભહિતકર છે,–કરવા આણીને ઉલ્લાસ. | ૨૨ કોટક જે નિયમિત ખાતા, ખરી ભૂખ લાગે તે વાર; ટકી રહે આરોગ્ય જગમાં, અતિખાવાથી રોગ અપાર. એ ર૩ છે ટંટારની સોબત બૂરી, ટંટાખેર સ્વભાવને ત્યાગ !!, ટંટાકજીયા કલેશમાં રહેતાં –દુ:ખ છે જાણે મનમાં જાગ છે. ૨૪ ટાઢક કરવા મનને તનને, ઉપાય લેજે થે હશિયાર ટાઢા ગુણ સુખ માટે થાતા, રેગહણે તે પણ નિર્ધાર. છે ૨૫ છે ટાઢું મનડું સારું ખોટું, સાપેક્ષાએ એમ કથાય; ટાણું મળે ઝટ વાપર ! નાણું, સમજે તે નહીં ખત્તા ખાય. ૨૬ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy