SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પ્રત્યેક ગ્રહસ્થનો ધર્મ છે. કર્મચગી થવા દરેકે પ્રયત્નવાન બનવું જ જોઈએ. ગુરૂશ્રી પોતે મનુષ્યને વ્યવહાર અને નિશ્ચયથી સંપૂર્ણ અને આદર્શ કર્મચોગી થવા હંમેશાં ઉપદેશ આપ્યા કરતા અને તે માટે મહાન ગ્રંથ કર્મતેઓશ્રી એ ખાસ રચ્યો છે. તેમાં તેઓશ્રીએ સ્વાધિકારે વ્યવહાર નિશ્ચય રીતે કર્મયોગી કેમ થવાય તે વિસ્તારથી જણાવ્યું છે. તેઓશ્રી આ ગ્રંથના પૂષ્ટ ૮૩ માં જણાવે છે કે – ક ગ ર ગ્રંથ મેં સારે, કર્મયોગી કરવા નરનાર, કર્મયેગને વાંચે તેથી, નિર્લેપી થાશે નરનાર; કર્મયોગી તે નરને નારી, આસક્તિ વણ કરતાં કાજ, કર્મ કરે પણ અકર્મભાવે, રહીને સાધે આતમ રાજ્ય. માટે મનુષ્ય કર્મ કરતાં-સદુદ્યમ કરતાં બીલકુલ લાજ-શરમ ધરવાની જરૂર નથી એમ એમનો આશય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યને, જૈન જગત્પર બહુ ઉપકાર, ઉપાધ્યાય નિબંધ રચીને, તેમની ભક્તિ કીધી સારા ગુરૂશ્રીને ઉપાધ્યાયજી મહારાજ પર અનન્ય ભકિતભાવ હતો અને તેઓશ્રીએ તેઓશ્રીનાં ગુણગાન ઘણુ ભક્તિભાવથી કર્યા છે. પાદરે તેઓ હતા ત્યારે કેટલાય વખતથી ડભોઈ શ્રી ઉપાધ્યાયજીના પાદુકાનાં દર્શન કરવા માટે ચોખા નહી વાપરવાનો અભિગ્રહ કર્યો હતો અને ત્યાં જઈ દર્શન કર્યા ત્યારે જ સંતુષ્ટ થયા હતા. અને વડોદરા ગુર્જર સાહિત્ય પરિષદમાં મોકલવા ખાસ શ્રી યશોવિજયજી નિબંધ પાદરા ખાતે રચી મોકલ્યો હતો. આમ વિશ્વોપકારક પૂર્વપુરૂષોનાં ભક્તિભાવે ગુણગાન આત્મામાં અનેરી શક્તિઓ પ્રકટાવી આત્મગુણ જાગ્રત કરે છે માટે સૌએ ગુણાનુરાગ દષ્ટિ ધારવી એ ગુરૂશ્રીને સ્પષ્ટ આશય છે. ઉપવાસ વિધિપૂર્વક કરવા, અનેક જાતના ગે જાય, ઉપવાથી થતા ફાયદા, સમજી શકત્યા કરવા જાય. ઉપવાસથી આતમશુદ્ધિ, થાતી નિષ્કામે કર જ્ઞાન, ઉપવાસી થવું સર્વેચ્છાને, ત્યાગી રાખી પ્રભુમાં ભાન. ઉપવાસની દ્રવ્યભાવે શું આવશ્યક્તા અને ફળ છે. તે માત્ર ઉપરોક્ત ચાર જ લીટીઓથી સ્પષ્ટ થાય છે. ઉપવાસ માટે ગુરૂશ્રી ઘણા લાભ બતાવતા હતા. તપશ્ચર્યા તેઓશ્રીને અતિ પ્રિય હતી અને ઉપવાસ બાહ્ય અને અત્યંતર અતિશય લાભદાયી છે એ પોતે સ્વાનુભવ કરી અન્યને કહેતા હતા. For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy