SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ પ્રસ્તાવના: શોભન મુનિના ગુરુ તરીકે ત્રણનાં નામે કોષ્ટકમાં દેખાય છે. એક તો મહેન્દ્રસૂરિ, બીજા વર્ધમાનસૂરિ શેભન મુનિના અને ત્રીજા જિનેશ્વરસૂરિ, ધનપાલ કવિએ ગુરુ સ્પષ્ટ રીતે એ ઉલ્લેખ કર્યો નથી કે સર્વદેવને નિધિ કોણે બતાવ્યું. તેની શ્રદ્ધા કયા આચાર્ય ઉપર થઈ અને શાભને દીક્ષા કેની પાસે લીધી. વિગતવાર જૂનામાં જૂનો ઉલ્લેખ અત્યારે તો પ્રભાવકચરિત્રમાં શોભનના વિષે મળે છે તેમાં લખ્યું છે કે શોભન મુનિના ગુરુ મહેન્દ્રસૂરિ હતા. આ આચાર્ય પાસેથી જ શોભનના પિતાએ નિધાનનું સ્થાન જાણ્ય, ધર્મ પામ્યો અને આમને જ પોતાનો શોભન નામનો પુત્ર દીક્ષા આપવા સેં. આ વાતને પ્રમાણિત કરવા સૂચનારૂપે સાધનર તિલકમંજરી છે, કે જે શોભનના સગાભાઈ કવિ ધનપાળે બનાવી છે. તિલકમંજરીમાં વ્યાસ વામિકાદિ કવિઓની સ્તુતિ કરી શ્રી મહેન્દ્રસૂરિની પણ સ્તુતિ કરી છે. પિતાના સમયમાં શાંતિસૂરિ, સૂરાચાર્ય, અભયદેવસૂરિ, વર્ધમાનસૂરિ વિગેરે અનેક વિદ્વાન જૈનાચાર્યોની અસ્તી હોવા છતાં તેમની સ્તુતિ નહિ કરતાં આ આચાર્યની જ સ્તુતિ કરવામાં ધનપાલને તેમના ઉપર દઢ ધર્મરાગ અને શોભનના ગુરુ તરીકે સંબન્ધ હોય એ કલ્પના કંઈ ખોટી ન કહેવાય. શનિના ગુરુ આ મહેન્દ્રસૂરિકોના શિષ્ય હતા, કેની પરંપરામાં થયા? કયા કેટલા ગ્રંથો લખ્યા? તે વિષે હજી સુધી કાંઈ પણ જણાયું નથી. પ્રભાવક ચરિત્રમાં મહેન્દ્રસૂરિને પ્રબંધ છે તેનાથી તેઓ ચાંદ્રગચ્છના વિદ્વાન આચાર્ય હતા એટલું જણાય છે. ૧જુઓ પ્રભાવક ચરિત્રમાં મહેન્દ્રસૂરિ ચરિત્ર. २ “ सूरिमहेन्द्र एवैको वैवुधाराधितक्रमः । ચર્ચામર્જ્યોતિગૌઢિ ર્વાિવમદ્ વજઃ” તિલકમંજરી ૩૪. 3 तत्रान्यदाययौ चान्द्रगच्छपुष्करभास्करः । શ્રી મહેન્દ્રભઃ પરદા ધુતપોનિઃ | મહેન્દ્રસૂરિચરિત્ર શ્લેક ૧૨. For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy