________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનોપનિષદ
ઉદાર વિચાર અને ઉદાર પવિત્ર આચારે છે, તેથી વિશ્વજનનું દયાદિ સિદ્ધાંતવડે તે વિશેષ કલ્યાણ કરી શકે છે. માટે જેનધર્મને સર્વદેશીય, સર્વજાતીય મનુષ્યોમાં સર્વ મનુષ્યમાં સર્વસ્વાર્પણ કરીને પ્રચાર કરવો. .. आपत्कालत्वापद्धर्मकर्मभि नोन्नतिसाधकाः '' આપત્તિકાલમાં આપદુધર્મકર્મોવડે જૈનેન્નતિ સાધક ખરા જેનો બને છે. જ્યારે જૈનધર્મને નાશ થવાને પ્રસંગ આવે છે અને જેની સંખ્યા ઘટીને બિકુલ કમ થાય છે ત્યારે જૈનધર્મને આપત્કાલ અને જેને આપત્તિકાલ સમજાય છે. ઉત્સર્ગની પેઠે આપત્કાલમાં જૈનધર્મ પ્રવર્તાવવાના ઉપાયને લેઈ શકાતા નથી, પરંતુ હાલ જેમ યુપીય મહાયુદ્ધમાં આપત્તિકાલના ધર્મોનો સ્વીકાર કરીને બ્રિટીશ સરકાર સ્વાતંત્ર્ય રક્ષણ માટે આપત્કાલ યુદ્ધકર્મોને સ્વીકાર કરે છે તે પ્રમાણે જૈનોએ હાલ આપદુ ધર્મકર્મોને સ્વીકાર કરીને જેનેન્નતિ સાધક બનવું જોઈએ. મેવાડના પ્રતાપરાણે પર આપત્તિ આવતાં તેણે આપદ્ ધમને સ્વીકાર કર્યો હતે અને ડુંગરાઓમાં ભટકી ભરાઈને યુદ્ધ કર્યા હતાં. આપત્તિકાલમાં બ્રાહ્મણને શોનાં કર્મો કરીને જીવવાનું મનુસ્મૃતિમાં કહ્યું છે. આપત્તિકાલમાં પૂર્વના ધર્મના વિચારોમાં અને આચારમાં પરિવર્તન અવશ્ય કરવું પડે છે અને જે એ આપત્તિકાલમાં આચારનું કર્મોનું પરિવર્તન કરે છે તે પુનઃ અસલની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે અન્યથા તેઓ સ્વાસ્તિત્વને નાશ કરે છે. શિવાજી મહારાજાએ હિંદુઓ પર આપત્તિકાલ આવેલો જાણીને તથા હિંદુધર્મ પર આપત્તિકાલ આવેલ જાણીને તેણે મહાન મુગલરાજ્યની સાથે અપવાદકાલીન યુદ્ધ કર્યા અને તેણે અપવાદ રાજ્ય યુદ્ધ ધર્મકર્મોને અનુસરી લડી પુનઃ હિંદુઓની ચઢતી કરી. જ્યારે બૅનું અને જૈનેનું અત્યંત જેર વધ્યું, અને વેદપરથી ભારતવાસીઓની આસ્થા ઉઠી ગઈ ત્યારે કુમારિલ ભદે, બાદરાયણ વેદવ્યાસે અને શંકરાચાર્યે સ્વધર્મ પર આપત્તિ આવેલી ખીને આપત્તિકાલ ધર્મને સ્વીકાર કરી વેદાને ઉપસ્થિત કર્યા. તથા અત્યવિચારને અને અત્યાચારને ગ્રહણ કરીને તથા અસલની યજ્ઞાદિક ક્રિયાઓની મંદતા કરીને વેદધર્મના નામે ધર્મ પ્રચાસણું કરી. મહમદ પયગંબરે આપદુ ધર્મના નિયમને અનુસરી છેવટે અરબસ્તાનમાં મહેમદેન ધર્મપ્રચાર્યો અને પ્રતિપક્ષીઓનું જોર હઠાવ્યું. આપત્તિકાલમાં અપવાદ ધમને અનુસરીને ગૃહસ્થોના અને ત્યાગીઓના ધર્મકર્મોમાં દેશકાલાનુસાર
For Private And Personal Use Only