SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે બેલ સા વિરામવિધિ સાર સાધુ સેવે” કહી ૧૪૪૪ ગ્રંથ પ્રણેતા પરમપૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ વીરજિનેશ્વર ભગવાનના આગમને સમુદ્ર સાથે સરખાવે છે. આ આગમ દ્રવ્યાનુગ, ગણિતાનુયેગ, ચરણકરણ યોગ અને કથાનુયોગ એમ ચાર પ્રકારે વહેંચાયેલ છે. આ ચારે અનુયાગ પણ સ્વતંત્ર સમુદ્ર જેવા અગાઘ અને અપાર છે. આ ચાર અનુયોગમાં સામાન્ય જીવે માટે કથાનુગ ખુબ ઉપકારક હાઈ પૂર્વાચાર્યોએ શ્રાવકના અનુરૂપ આચાર અને ઉપદેશના ગ્રંથ બનાવ્યા ત્યાં ઠેર ઠેર કથાઓને સારો સંગ્રહ કર્યો છે. જૈન આગમ અને પ્રકરણ ગ્રંથમાંથી કથાઓને સંગ્રહ કરવામાં આવે તે હજારો કથાઓ આપણને મળી શકે એમ છે અને આ બધી કથાઓમાં કેઈ ઉપદેશ માટેની, કઈ ઈતિહાસની અને કઈ ગુણલંબનને લઈ આળેખાયેલી છે. સામાન્ય જનતાને તત્ત્વવાદ કરતાં કથાવાર વધુ ઉપકાર નીવડા હોવાથી આપણું પૂર્વાચાર્યો પૂ. હરિભદ્રસૂરિ, પૂ. કવિકુળ ગુરૂ સિદ્ધસેન દેવાકરસૂરિ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ, 9 સિદ્ધગિણિ, પૃ મુનિસુંદરસૂરિ વિગેરે પૂર્વાચાર્યોએ તત્ત્વસંદર્ભને અનેક ગ્રંથના ગુંથન સાથે સામાન્ય જનતાના ઉપકાર કાજે અનેક પ્રકારનું કથા સાહિત્ય પણ સજર્યું છે. જ્યારે શામળ, પ્રેમાનંદ, મીરાં, નરસિંહ અને બીજા જનેતર કવિઓએ રાસ, ચોપાઈ, દૂહાથી પ્રજાને આકર્ષી ગીતગાનમાં નાચતી કરી ત્યારે જનજનતાને ધર્મમાર્ગમાં સ્થિર રાખવા For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy