SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મના ફેલાવા માટે પ્રયત્ન કરે એવી હીલચાલ કરવી અને અસલની સ્થિતિ પુનઃ પ્રાપ્ત થાય એવી જનાઓ હાથ માં ધરવી. ૧૨. ચારે વર્ણના મનુષ્યોમાં જૈનધર્મનો આદર થાય એવા ઉપા યોને મહાસંધમાં ચર્ચવા અને તે માટે મોટું ફંડ કરવું, તેમાંથી જન બંધુઓને સાહાધ્ય કરવી. ૧૩. ગૃહસ્થ જૈનોએ કરડે રૂપિયા જેમાં થાય એવું ફંડ કરવું અને તેમાંથી ગરીબ શ્રાવકો અને શ્રાવિકાઓને મદદ કરવી. હિન્દુસ્થાનના સર્વ જિન મંદિરે વગેરે ધાર્મિક ખાતાઓને એક સરખી રીતે કારભાર થાય એવી જનાઓ હાથ ધરવી. એક મોટી સંસ્થાની હજારો પેટ સંસ્થાઓ હોય, પણ મેટી એકજ સંસ્થા હોય કે જેના હુકમ પ્રમાણે સર્વે સંસ્થાએ કામ કરી શકે અને દેવ દ્રવ્ય વગેરેની ઘટતી વ્યવસ્થા કરી શકે એવી યોજનાઓ અમલમાં મૂકવી. જૈન ધર્મ ગુરૂ સાધુઓને દેશો દેશધર્મને ઉપદેશ દેતાં થતી અગવડે દૂર કરીને ઉપદેશ દેવામાં સાનુકુલ સંગોની સાહાધ્ય આપવી. જન સાધુઓની હેલના આદિ થતી વારીને જનધર્મને પ્રચાર થાય એવી રીતે જૈન સાધુઓને સાહાધ્ય આપવી. અન્ય ધર્મના લોકોને જૈનધર્મમાં દાખલ થતાં જે જે અગવડ થતી હોય તે દૂર કરવી અને તેઓ જૈનધર્મમાં સ્થિર રહે એવી વ્યવસ્થા કરી આપવી; તેઓને સાહાધ્ય આપવામાં આત્મભોગ આપવામાં કંઈ પણ કમીના રાખવી નહીં. ૧૫. જૈનધર્મની ઉત્તમત્તા–ઉપયોગિતા અને આદેયતા દર્શાવનારા જૈન ધર્મનાં પુસ્તકોને અનેક ભાષામાં ફેલાવો કરે અને તે ગરીબમાં ગરીખ મનુષ્યના પણ હાથમાં જાય એવી વ્યવસ્થા કરવી. For Private And Personal Use Only
SR No.008583
Book TitleJain Dharmani Prachin Arvachin Sthiti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1914
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy