SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ તીર્થકલ્પ નામના ગ્રન્યમાં લખ્યું છે કે હિમાથે છાયાપા મન્નાધિરાન: શ્રી હિમાલયમાં છાયા પાર્શ્વનાથ. મંત્રાધિરાજ અને કુલિંગ પાર્શ્વનાથનું તીર્થ હતું. બૃહતક૫ વગેરે ગ્રોથી સિદ્ધ થાય છે કે ખાસ અપવાદ કે જેનું આગમમાં વર્ણન કરવામાં આવ્યું છે તેવા કારણોએ જૈન સાધુઓ અનાર્ય દેશમાં પણ વિચારી શકે છે. ટૌડ રાજસ્થાન પત્ર ૨૧૩.-જ્યારે વલ્લભીપુર નગરપર ધાડ પડી ત્યારે તમામ વસ નારા નાસી ગયા. અને વાલી સંદરાય અને નાદોલ વગેરે ગામે ભરૂધર દેશમાં સ્થાપ્યાં? આ શહેરો હજી પણ જાણવાજેગ છે અને તે બધામાં જિનધર્મ હજી સુધી છે. તે જૈનધર્મ વલ્લભીપૂરમાં જ્યારે જંગલી લોક હલો કરીને આવ્યા ત્યારે ત્યાં મુખ્ય ધર્મ હતો. જેને લોકોએ બચાવી રાખેલા હેવાલ પ્રમાણે આ બનાવ સને પર૪ માં બન્યું હતું. ૨૨૪.-“વલ્લભીપુર પર હલ્લો કરવામાં આવ્યો ત્યારે એકસો (જૈન) મંદિરવાળા, આ શહેર ને ત્રીશહજાર કુટુંબ છોડી ચાલ્યા ગયા અને તેમને આગેવાન એક જૈન ધર્મગુરૂ હતો. તેમની પાછળ પિતાના ધર્મનું રક્ષણ કરવાને તેઓ ભરૂધર (મારવાડમાં) ગયા. ત્યાં તેઓએ સંદેરાય અને બાલહી નામનાં શહેર બંધાવ્યાં. વલ્લભી અને વિદેશ ગમન કરનારાઓનો જનધર્મ હતો.” વલ્લભીપુરમાંથી નાસેલા રાજાઓએ મેરી ૧ ટીંટોઈ પાસે સામળાજી છે અને તેની પાસે બે ત્રણ ગાઉથી મેરી શહેરના ખંડેરનાં ચિન્હો શરૂ થાય છે. મોરીમાં એક હાથની લાંબી અને પાણા મણના આશરાની એક એકેક ઇંટ ખેદતાં નીકળે છે. ટીંટોઈ ગામમાં મારી પાર્શ્વનાથની પ્રતિમા છે તે અસલ મેરી ગામમાં હતી. મારી ગામ ઘણું પ્રાચીનકાલનું હતું. શાહબુદ્દીન ગોરી વગેરે બાદશાહના વખતમાં For Private And Personal Use Only
SR No.008583
Book TitleJain Dharmani Prachin Arvachin Sthiti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1914
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy