SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 33 Acharya Shri Kailassagarsuri Gyanmandir સં. ૧૭૯૫ માં શ્રી શિરપાલના પૂરા ભાવ થયા કે નવિમલને સૂરિપદ, હેમવિમલ સૂરિ પાસે લાલપુર નગરમાં અપાવવું, અને તે વર્ષમાં તે પ્રમાણે આનંદવિમલ સૂરિ સ્થાપવામાં આવ્યા. ઉત્સવ બહુ ભભકાથી કરવાની સાથે જિનબિંબપ્રતિષ્ઠા કરવામાં આવી. થિરપાલને છ પુત્ર થયા, તેમાંના બધા નામે મેાટા, લાલા, ખીમા, ભીમા, કરમણ, અને ધરમણુ સધપતિ થયા. સંઘવી ભીમાને પાંચ પુત્રઃ–નામે સંધપતિ હીરા, હરખા, વિમાલ, તેજક પ્રમુખ થયા. તેઓ પરણ્યા, જજૂદા થયા અને પછી માબાપ અનશન કરી સ્વર્ગ સિધાવ્યા. જન્મવૃત્તાંત. મહેસાણા નગરમાં ચંપક નામને વિષ્ણુક વસતા હતા. તેણે પેાતાની પુત્રી નામે પૂજી હરખાશા સંઘપતિ કે જે ઉપર વર્ણવેલ છે. તેને લાલપુરમાં પરણાવી. તે બંનેથી શુભ સ્વમ સૂચિત કલ્યાણમય દોહદવાળા ગર્ભવાળા પુત્ર સ. ૧૬૦૧ આશા વદ ૫ સામવારે જન્મ્યા, અને તેનું નામ ઠાકરશી (ડંકુરસિંહ ) પાડવામાં આવ્યું. છ વર્ષના થયા એટલે તેને નિશાળે ભણુવા મૂક વામાં આવ્યેા. 3. જગદ્ગુરૂ આગમન. તપાગચ્છની ૫૮ મી પાટે થયેલા શ્રી જગદ્ગુરૂ શ્રી *હીરવિજયસૂરિ લાલપુર આવ્યા. તેમનું નામ સર્વે જગમાં પ્રસિદ્ધ છે; તેમણેજ જૈનાના તીથે પરના હક્ક ખાદશાહ અકબર પાસેથી મેળવી આપ્યા. જીવહિંસા નિષેધ અમુક અમુક પર્વના દિવસેાએ ન કરવા એવી રાજ્યાના પણ મેળવી. કુમાર ઠાકરશીએ હીરવિજયસૂરિની દેશના સાંભળી ત્યારે ચારિત્ર લેવા ઇચ્છા થઈ ગઇ અને વૈરાગ્ય જામ્યા. માબાપે ઘણુંએ સમજાવ્યેા, પણ કુમારે પેાતાનું મનેાબલ વાપરી તેમની પાસેથી દીક્ષા માટેની રજા લીધી. ૪. દ્વીક્ષા વાચકપ૬. જગદ્ગુરૂ મહેસાણા વિહાર કરી આવ્યા, ત્યાં કુમાર ઠાકરશી પશુ પેાતાના મામાના ઘેર આવ્યેા. પેાતાની માના આપ નામે ચંપકશાહને બે * હીરવિજયસૂરિ-તેમણે અકબરને જૈનધર્મથી પ્રતિબાા. જન્મ સંવત્ ૧૫૮૩ માર્ગશીર્ષ શુદિ ૯ પ્રહલાદનપુરમાં, દીક્ષા પાટણમાં સવત્ ૧૫૯૬ ના કાર્તિક વિદે ર, વાચકપદ નારદપુરિમાં વરકાણુક ઋષભદેવના મ ંદિરમાં સંવત્ ૧૬૦૮ ના માધ શુદ્ધિ પ, સૂરિપદ્ય શિરોહીમાં સ. ૧૯૧૦ માં, સ્વર્ગગમન ઉમ્ના (હાલનુ' ઉના) નગરમાં સવત્ ૧૬૫૨ ના ભાદ્રપદ શુદિ ૧૧ ને દિને થયું. આમનુ સવિસ્તર ચરિત્ર શ્રી હીરસાભાગ્ય અને વિજયપ્રશસ્તિ કાવ્યમાંથી મળી શકે છે. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy