SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) નયને અમારાં સ્થિર નથી, વચને અમારાં સ્થિર નથી. ચરણે અમારાં સ્થિર નથી, ને ચિત્ત તે પણ સ્થિર નથી. ૭ મિત્રે અમારાં સ્થિર નથી, પુત્રે અમારાં સ્થિર નથી, અશ્વો અમારાં સ્થિર નથી, જીવન તથાવિધ સ્થિર નથી. ૮ રહે અવશ્ય સ્થિર નથી, ને અવશ્ય સ્થિર નથી, મંદિર અમારાં સ્થિર નથી, ભંડાર તેમજ સ્થિર નથી. હું ભલે હવે ભગવાન ને તજી કુતર્કો સ્થિર નથી; અજિતાબ્ધિ એકજ નાથવિણ, સંસારમાં કંઈ સ્થિર નથી.૧૦ વિરાર છે. ( ૭) ગજલ સોહિની પરને કરે જે છેષ તેના જીવનને ધિક્કાર છે; - નિંદા કરે જે અન્યની, તે જીવનને ધિક્કાર છે. ૧ દુભ પ્રભુના ભક્તને, તે પુરૂષને ધિક્કાર છે, પીડે જગતનાં પ્રાણી, તેને જીવનને ધિક્કાર છે. ૨ દારૂ પીવે કે પાય તેના, જીવનને ધિક્કાર છે; ગાંજા પીવે કે પાય, તેના જીવનને ધિક્કાર છે. ૩ જે માંસ ભક્ષી થાય તેના જીવનને ધિક્કાર છે, જે લાંચથી લલચાય તેના, જીવનને ધિક્કાર છે. ૪ પર સાખ્ય ઈ બળી મરે, તે જીવનને ધિક્કાર છે. પરનારી પ્રતિ નયને ભરે, તે જીવનને ધિક્કાર છે. ૫ જાહું વચન વદનાર કેરા, જીવનને ધિક્કાર છે, પદ્રવ્યને હરનાર કેરા, જીવનને ધિક્કાર છે. ૬ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy