SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૪૭૦ ની સાલના વિચારે. ૬૩૧ ધર્મના વિચારેનું વાણું કારણ પ્રકટન કરનારા વક્તાઓની પુષ્કલતા અવલોકી શકાય છે. કિન્ત તદિચારેને કૃતિમાં આચરીને આદર્શ ભૂત થનારા વિદ્વાનોની અને મહાત્માઓની તે અલ્પ સંખ્યા ચક્ષુથી અવલોકાય છે. આત્માના ધર્મને માયાની પેલી પાર નિરીક્ષીને માયાની અર્થાત મહાદિની પેલી પાર રહેલી આત્મજ્ઞાનમસ્તીમાં ઝીલીને જેઓ આત્મસાક્ષાત્કારમાં રહ્યા કરે છે, તેઓ વાસ્તવિકરીત્યા વિવેક દષ્ટિતઃ અવકતાં સ્વધર્મીભૂત થયા છે એમ કળી શકાય છે. પારમાર્થિક વ્યવહતિ વ્યવસ્થાના સભ્ય ઉદ્દેશ હેતુઓને અવબોધવાનું આધ્યાત્મિક સમ્પબળ પ્રાપ્ત કરનારા વાસ્તવિકરીત્યા વિચારીએ તે આમધર્માનુભવિમહાપુરૂ જ દષ્ટિ સન્મુખ નિરીક્ષાય છે. આધ્યાત્મિકજ્ઞાનના ગંભીર પ્રદેશમાં સૂત્મબ્રહ્મભાવથી વિચરનારાઓ જે જે અધ્યાત્મવિદો થાય છે તેઓનું સ્વાદાદજ્ઞાનપરિણત હદય જ ખરેખર સર્વધર્મશાસ્ત્ર ભંડારભૂત છે, એમ કથવું કિચિંત પણ અનવસ્થાને ભજતું નથી. અધ્યાત્મપરિણત સયુરૂપોની વાર્તાઓમાં અનેક રહસ્યમય સિદ્ધાન્તોને સાર સમાયેલો હોય છે, તે સત્પરૂષોના આન્તરિક ભાવગ્રાહક સેવક વસ્તુતઃ અવધી શકે છે. તેથી તેઓને અધ્યાત્મવામયજ્ઞ અને અધ્યાત્મતત્ત્વપરિણુત હૃદયવંત સંપુરૂષનાં વચનો અમૃતફલ કરતાં વિશેષ આનન્દપ્રદ લાગે છે. અતએ તેઓ અધ્યાત્મના નિમહાપુરૂષને જેમ ભ્રમર માલતીને સેવે છે, તત સતત સેવ્યા કરે છે. આ ત્મિપતિમંતોના હૃદયમાં સ્વર્ગનું તથા પરમાત્માનું સામ્રાજ્ય રહ્યું હોય છે, અને તેથી તેઓ અભેદધ્યાગે સ્વસત્તાતપરમાત્માઓમાં અને અન્ય વ્યક્તિરૂપ પરમાત્માઓમાં અભેદતાને અનુભવ કરીને વખરી વાણી દ્વારા જે જે શબ્દોને પ્રકાશે છે, તે શબ્દોમાં પરમાત્માનુભવપ્રાપ્તિનું સજીવન તેજ ભરપૂર હોય છે. તેથી તે શબ્દોથી વાચકોનું અને શ્રોતાઓનું ધર્મમાં જ પરિવર્તન થએલું અવલોકી શકાય છે. તાદ સ્થિતિને પ્રાપ્ત કરનારા સન્મુરૂષોને તેઓના સમાગમમાં આવનારા આન્તરિક તત્ત્વવિદ્દ જીજ્ઞાસુઓ પરીક્ષી શકે છે, અને તેઓને પ્રભુના પ્રતિનિધિ આચાર્ય તરીકે વિલોકી શકે છે. - For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy