SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૫, www.kobatirth.org સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો. ધ્વને અમુક પ્રકારનાં ઉપક્રમે નહિ લાગવાથી દી કાલપર્યંત જીવી શકાય છે. માટે નિર્વિકલ્પ સમાધિ ચેાગી બનવાની હિતશિક્ષાના ઉપદેશ દેવા જોઇએ, X X X Acharya Shri Kailassagarsuri Gyanmandir X આંખ વડે દૂર સુધી દેખી શકાય છે, પણ તુ પગ વડે ત્યાં પહેાંચી શકાતું નથી તથા નાની દૂરથી જે દેખે છે પણ તેને તે એકદમ પ્રાપ્ત કરી શકતા નથી. સારાંશમાં કહેવાનું કે સદ્ગુને દેખી જાણી શકાય છે. પણ એકદમ આચારમાં મૂકી શકાતા નથી. દુતા જ્યારે સાધુને પીડે છે, ત્યારે સાધુઆમાં, મહાત્માઓમાં આત્મબળ ખીલી નીકળે છે. દુજ ને કદી મહાત્માઓના ગુણ સામું અવલોકતા નથી. તેઓ તે મહાત્માઓના ગુણાને પણ દુગુણા તરીકે દેખે છે. આવા પ્રસંગે ઉત્તમ મહાત્માઓમાં વીર્ય પ્રગટે છે, અને તેઆ દુર્જનાથી પોતાના બચાવ કરી લે છે. તથા દુર્જનને હટાવી દે છે. આત્મજ્ઞાનની સાટી ખરેખર પરિષહેા વખતે થાય છે. શ્રી વીરપ્રભુએ પરિષા સહીને પોતાની પરમાત્મતા પ્રગટ કરી. પરિષા આવે છતે જે જ્ઞાન અને વૈરાગ્ય ટકી શકે અને આત્મામાં શીતલતા રાખી શકે તેજ જ્ઞાન અને વૈરાગ્યની ઉત્તમતા પ્રસંશવા યેાગ્ય છે. For Private And Personal Use Only દુઃખા પડયા વિના ધૈયગુણુની પરીક્ષા થતી નથી. અનેક પ્રકારની શાતા ભાગવતી વખતે હું ધીર છું એમ કોઇ કહે તે તે ફક્ત ખેલનાર છે; કારણ કે સુખ સામગ્રી વખતે ધૈર્ય ગુણની પરીક્ષાનો પ્રસંગ પ્રાયઃ અલ્પ દેખાય છે, અને દુ:ખની વખતે તા ધેયગુણુની ખાસ જરૂર પડે છે. ઘરને પડતી વખતે ટેકાની ખાસ જરૂર છે તેમ દુઃખની વખતે ધૈર્યું ન રહે તે આત્માનુ જીવન ટકી શકતું નથી. ધૈય ગુણુથી જીવી શકાય છે અને અધારાને છેદીને પ્રકાશ દેખવા સમર્થ થઇ શકાય છે. દુઃખરૂપ વનને બાળીને ભસ્મ કરનાર ધૈર્યરૂપ અગ્નિ છે. ધૈર્ય વિના મનુષ્ય નપુંશકની પેઠે ભય દુઃખાથી કંટાળીને પોતાનું ચંચળપણું જાહેર કરે છે. ધૈય" વિના મૃત્યુના સામું ઉભા રહી શકાતું નથી અને આત્મભાગ આપી શકાતા નથી. ધીરવીર્ નાની હજારે સકટાને પોતાની પીપર વહન કરતા છતા છાતી કાઢીને આગળ ચાલે છે અને મેાહના વિકટ માગ માંથી પસાર થાય છે. × X * X
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy