SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો. - નિમિત્ત સંગે હજારો વિચારો થયા કરે છે તેથી અમુક વખતે થયેલા અમુક અભિપ્રાયને વળગી રહીને તેના હૃદયને સદાકાલને માટે એક સરખે વિચાર બાંધવો જોઈએ નહિ. શુભાશુભ વિચારોના અનુસારે હૃદય ઉચ્ચ નીચ બન્યા કરે છે. રાગ અને દેશની તીવ્રતાથી જે વિચારે કરવામાં આવે છે, તેના સજજડ સંસ્કાર પડે છે. તેમજ પૂર્ણ વૈરાગ્યધારાના જોશથી અને પૂર્ણ સમતાના જોરથી જે વિચારો કરાય છે, તેની અસર ખરેખર ઉત્તમ થાય છે. અને તેથી અનેક ભવનાં બદ્ધ કર્મનો ક્ષય થાય છે. શુભ વિચારો વડે મનની ઉજજવલતા, કરવામાં આવે છે તે કાય યોગ પિતાની મેળે ધર્મકાર્યો કરવામાં પ્રવૃત્ત થાય છે. મનુષ્યોની પાસે ઘણું કાલપર્યતવસ્યાવિના તેઓના હૃદયની પરીક્ષા થઈ શકતી નથી. તેનું જેવું કસી અને માણસ જેવું વસી. એ નાની સરખી કહેવતની કિંમત થઈ શકતી નથી. મનુષ્યના શબ્દોમાં તેના હૃદયના આશયો પ્રકટ થાય તે સવી ઠે. કાણે નિયમ નથી. શબ્દોની જાળમાં હૃદયને છુપાવી શકાય છે. માટે હૃદયમાં પ્રકટ થતા આશયોને જાણવા ઉત્તમ પુરૂષો પ્રયત્ન કરે છે, અને મુખથી બોલતાં શબ્દો અને આશાને સારી પેઠે વિવેક કરે છે. સંવત્ ૧૯૬૮ પૈશાખ સુદિ ૨ શુક્રવાર તા. ૧૯-૪-૧ર પાદરા. કેળવાયેલા જેમાં આર્ય સમાજની પેઠ ધર્મનો જોઈએ તે પ્રમાણમાં જુસ્સો પ્રકટ નથી. આર્યસમાજની અને બ્રીસ્તીયોની પેઠે જેનો જનધર્મના ફેલાવા માટે ચાંપતા ઉપાયો જોઈએ તે પ્રમાણમાં લેતા નથી. હવે તો જમાનાને ઓળખીને જેનશાસનની , ઉન્નતિ અર્થે અત્યંત તીવ્રોત્સાહે ઉપાયો આદરવાની આવશ્યકતા છે. જનતાબર કોન્ફરન્સના ભરાવાથી પણ જિનેમાં પ્રગતિના વિચારની ચર્ચાઓ થવા લાગી છે. હૃાલને હાલ કાર્ય આરંભ કરીને તેનું ફળ દેખવાને માટે જે જનો વિચાર રાખે છે, તેઓ ધર્મની પ્રગતિનાં કાર્યોને આરંભ કરીને પશ્ચાત મત્સાહી બની જાય છે. રાયણના વાવનારની પેઠે ભવિષ્યની પ્રજાને માટે જૈનધર્મની પ્રગતિનાં કાર્યો આરંભવાં જોઈએ. જન ગુરુકૂલ, જૈનધર્મ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy