SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઠ્ઠાવીશ માગધી ભાષાના શ્લોકો ઉપર વિવેચન કરતાં ગુણાનુરાગ કુલકમાં ગુરૂદેવે ગુણાનુરાગ દ્રષ્ટિ વિકસાવવા એ વિષયને ખૂબ ચર્યો છે. ગુણાનુરાગથી જ માનવ તિર્થંકર બની શકે છે તે પ્રતિપાદન કરતાં પોતે પ્રારંભ મંગલ પણ ગુણાનુરાગથી થયેલા-થનાર તિર્થંકરને નમન કરે છે–બીજાઓના અવગુણો જોયા કરતાં તેમનામાં રહેલા ગુણને જ જોવાય તે સંસાર સ્વર્ગ બને. શ્રીકૃષ્ણ વાસુદેવે, સેન્સ લઈ યુધ્ધ જતાં આખું લશ્કર થંભી ગયું ને સૌ નાકે ડૂચા દેવા લાગ્યા-તપાસ કરતાં એક કુતરૂ ભરેલું પડેલું ને ભયંકર દુર્ગધ ફેલાઈ ગયેલી. થી લશ્કર ખસી ન શકયું. પણ આ જાણતાં જ શ્રીકણ ત્યાં પહોંચી ગયા ને બોલ્યા અહા ! આ શ્વાનની દંતપંક્તિ કેટલી સુંદર છે ? તેમણે મરેલું કે વાસ મારતું કૂતરાનું શબ ન જોતાં–માત્ર કૂતરાની દંતપંક્તિની સુંદરતા જ જોઈ ! આનું નામ ગુણાનુરાગ દૃષ્ટિ–આમ તો દેવતાઓએ જ આ કુતરૂ વિકુવીને (પરીક્ષા જેવા બનાવટી કરીને શ્રીકૃષ્ણની પરિક્ષા જોવા નાંખેલું-પણ આ ગુણાનુરાગી શ્રીકૃષ્ણ જ ભાવિ તિર્થંકર થવાના છે. આ બાબતની ચર્ચા આ ગ્રંથમાં ગુરૂશ્રીએ ખૂબ સુંદર શૈલીથી કરી છે. કન્યા વિકય નિષેધ. ગ્રંથાંક ૮૮. પૃષ્ટ સંખ્યા ૨૦૫. ભાષા ગુજરાતી. રચના સં. ૧૯૬૦, ચૈત્ર સુદી ૧૧. વિજાપુર–આ ગ્રંથની અર્પણ પત્રિકા મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળના સ્થાપક પરમ શ્રાદ્ધવર્ય શ્રી. વેણીચંદ સુરચંદભાઈને આપવામાં આવી છે. આની બીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. કાઠીઆવાડ ઝાલાવાડ કવચિત્ ગુજરાત લાટ આદિ સ્થળે થતા કન્યાવિક્રય તથા વરવિક્રયના નિવારણ અર્થે આ ગ્રંથ સં. ૧૯૦ માં એટલે લગભગ ૪૫ વર્ષ પર લખ્યો હતે, ને બીજી આવૃત્તિ પ્રકટ કરવી પડી હતી તે પ્રકટ થતાં કાઠીયાવાડ ઝાલાવાડમાં તેને પ્રચાર અને તેનાં પરિણામ સારાં આવ્યાં હતાં. તે બાદ ઝાલાવાડ કાઠીયાવાડના જૈનોની જાહેરજલાલી સારી વધી છે. કન્યાવિક્રય જેટલો જ વરવિકી નિષિદ્ધ છે, તે શાસ્ત્રોનાં અનેક પ્રમાણે અને અનેક દ્રષ્ટાંતથી આ ગ્રંથમાં પ્રતિપાદન કરવામાં આવેલ છે. ઉપરાંત બાળલગ્ન નિષેધ માટે પણ ઘણી જ સચોટ રીતે આ ગ્રંથમાં લખવામાં આવ્યું છે. અત્યારે તો કન્યાવિકય ઘણે ઓછો થયેલો દેખાય છે. ચિન્તામણિ-ગ્રંથાંક ૭૯૯ પૃષ્ટ સંખ્યા ૮૦. ભાષા ગુજરાતી, રચના સંવત ૧૯૯૨ બીજી આવૃત્તિ-આ ગ્રંથની અર્પણપત્રિકા શ્રી. ગુરૂદેવે પરમગુરૂભક્ત-સેવાભાવિ-ઉચચારિત્રવાન શેઠ લલ્લુભાઈ કરમચંદ દલાલને ગુણાનુરાગ દષ્ટિએ આપી છે. ગુરૂદેવે આ નાનકડુ પણ અમૂલ્ય પુસ્તક સં. ૧૯૫૯માં પાદરામાં સ્થિત હતા ત્યારે પાદરાના મણીલાલ મેહનલાલ (પાદરાકર)ના સદુધ અથે લખ્યું હતું. આ ગ્રંથની. પ્રસ્તાવનામાં શ્રી. ગુરૂદેવ પોતે જ લખે છે કે – “આ પુસ્તક વિ. સંવત ૧૯૫૯ માં પાદરાના સુશ્રાવક વકીલ મેહનલાલ હિમચંદના પુત્રરત્ન શા. મણિલાલ મોહનલાલના For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy