SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨ | (૬) શ્રી પરમાત્મ જાતિ-ગ્રંથાંક નં. ૯ પૃષ્ઠ. ૪૭૦ રચના સં. ૧૯૮૪ના શ્રાવણ શદ ૧૫ ભાષા સંસ્કત માગધી ગુજરાતી. આ ગ્રંથની મળ કતિ શ્રીમદ શશોવિજયજી મહારાજે સંસ્કૃત ૨૫ શ્લેક રૂપે રચેલી છે. તે પર તે વિષયના પરમપ્રેમી શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરે સંસ્કૃત ટીકા અને ગુજરાતી ભાષામાં વિવેચન કરી અધ્યાત્મજ્ઞાન તેમજ ગજ્ઞાનની ઉત્તમતા અનેક દ્રષ્ટિએ અનેક આધારે લોકો દષ્ટાંતથી સિદ્ધ કરી બતાવી છે. “પરમજ્યોતિ -કેવલ્યજ્ઞાન”ની સિદ્ધિ કરવામાં શ્રીમદે પોતાના સ્વાનુભવ–મેગાધ્યાત્મજ્ઞાનને જાણે કસેટીએ ચઢાવતા હોય તેમ ખૂબ ચકાસણી કરી ખુબ ખીલી ઊઠયાં છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી યશેવિજયજી, શ્રીમદ્ દેવચંદ્રજી, શ્રીમદ્ આનંદઘનજી જેવા પરમ આધ્યાત્મિક-ચોગનિષ્ઠ-મસ્ત જ્ઞાનીઓ પર અજબ પ્રેમ અને પૂજ્યભાવ પદ્યપદે પ્રદશીત થાય છે. આ ગ્રંથના પ્રથમ ત્રણ ગ્લૅક ઉપર જ ૩૫૭ પૃષ્ઠ જેટલું વિવેચન કરી તેમાં શુદ્ધ દેવ-ગુરૂધર્મનું સત્યસ્વરૂપ શાસ્ત્રના અનેક પાઠ આપી દર્શાવ્યું છે. આત્માને કેમ લાગે છે અને તેને ક્ષય પણ થાય છે તે અનેક દાખલા દલીલથી સિદધ કરી બતાવ્યું છે. આજ ગ્રંથમાં ચેયપ્રદીપ, આત્માનુશાશન અને સામ્યશતક જેવા મહાન ઉપકારક ગ્રંથ શુધ્ધ કરી ગુર્જર ભાષામાં ભાવાર્થ સાથે દાખલ કર્યા છે. ઉપરાંત શ્રીમદ્ યશોવિજયજી વિરચીત પરમતિ ' ગ્રંથ પણ દાખલ કર્યો છે. આત્મા અને પરમાત્માના સ્વરૂપનું સત્ય-શુધ્ધજ્ઞાન પ્રત્યેક મનુષ્યને થાય તે તેઓ અનેક દુઃખમાંથી છૂટી જાય ને પરમ સુખની પ્રાપ્તિ થઈ શકે તે માટે સર્વના કલ્યાણ અર્થે શ્રીમદ્ યશોવિજયજી કૃત પરમાત્મ પંચવિંશતિકા ગ્રથ ઉપર સંસ્કૃત ટીકા તથા ગુર્જર ભાષામાં વિવેચન કરી તેનું નામ શ્રી પરમાત્મતિ રાખ્યું છે. આ ગ્રંથમાં મુખ્યતા અધ્યાત્મિક વિષય છે, અને અન્ય પ્રાચીન આધ્યામિક ગ્રંથને દાખલ કરી તે પર પણ વિવેચન લખ્યું છે. આ ગ્રંથમાં આત્મજ્ઞાન તરફ લક્ષ્ય રાખી નિશ્ચય પ્રસંગે નિશ્ચયની અને વ્યવહાર પ્રસંગે વ્યહવારની મુખ્યતા દર્શાવી છે. ત્યહવાર અને નિશ્ચય એ બંનેને સાથે રાખી ધર્મ તથા તત્વની ગવેષણા કરવી એ સ્પષ્ટ કરવામાં લેખકે ખૂબ કાળજીભરી રીતે કલમ ચલાવી વાંચકે પર મહાન્ ઉપકાર કર્યો છે, ગ્રંથના મુળ પચીસ લોકો પૈકી પ્રથમ શ્લેક આ પ્રમાણે છે. परमात्मा परंज्योति: परमेष्टि निरंजन: अज: सनातनः शंभुः स्वयंभूर्जयताज्जिनः १ શબ્દાર્થ –પરમાત્મા, પરં જાતિ, પરમેષ્ટિ, નિરંજન, અજ, સનાતન, શંભુ એવા જિન પ્રભુ જય કરે આ ગ્રંથમાં શ્રી “ચોગ પ્રદીપ” ગ્રંથ અંતર્ગત છે. અતિ દિવ્ય એવા આ ગ્રંથમાં For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy