SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી ભવ્ય અધ્યાત્મમૂર્તિ એમના ગદ્યસર્જનમાં સાક્ષાત ઊભી થાય તેવું એમનું ગદ્ય છે. પદ્યની જેમ ગદ્યમાં પણ અનેક રંગી વૈવિધ્ય નજરે પડે છે, તેમનું વિપુલ લખાણ ગદ્યસાહિત્યના લગભગ દરેક પ્રદેશને સ્પશી વળ્યું છે. નાના મોટા ત્રીસેક કાવ્યગ્રંથે અને બારેક સંસ્કૃતગ્રંથ બાદ કરીએ તે લગભગ સાઠ ઉપરાંત ગ્રંથ ગુજરાતી ગદ્યમાં છે. તેમણે પ્રરૂપેલા ખાસ વિષયો નીચે પ્રમાણે છેઃ (૧) તત્ત્વજ્ઞાન (૨) ઇતિહાસ (૩) વિવેચન, ભાષાંતર (૪) જીવનચરિત્રો (૫) પત્રો, ને (૬) ધર્મ, નીતિ, સમાજસુધારણા નિબંધ (૭) સંસ્કૃત ૧૬ ગ્રંથ (૧) તત્ત્વજ્ઞાન, જ્ઞાન અનંત છે. તેના પ્રકાર અનંત છે. મનુષ્ય પોતાની ટૂંકી જિંદગીમાં સર્વ જ્ઞાન પ્રાપ્ત કરવા મથે તો તેને પત્તો ન ખાય, તેથી સર્વ જ્ઞાનના સારરૂપ તત્ત્વજ્ઞાન મેળવવા પ્રતિ જ દરેક માણસે લક્ષ દેડાવવું જોઈએ. તેનાથી જ ચેતન- અચેતનનો ભેદ સમજાય છે. આ ભેદ સમજ્યા વિના મનુષ્ય આગળ ન વધી શકે. તત્વજ્ઞાનમાં જેટલું ઊંડું ઊતરાય, તેટલીજ સત્યજ્ઞાનપ્રાપ્તિ થઈ છે એમ કહી શકાય. આત્મતત્તવ સવ તમાં મહાન છે. તે તત્ત્વનું સત્ય સ્વરૂપ ઓળખવા, પુરાતન કાળથી માનો પ્રયત્ન સેવી રહ્યા છે. કેટલાક તે પામ્યા છે, કેટલાક અધૂરા રહ્યા છે, કેટલાક નથી પામ્યા, કઈ કઈ દ્રષ્ટાઓ અન્યને માટે પિતાનું જ્ઞાન મૂકતા ગયા છે. આ જ્ઞાનને સ્વાનુભવથી પરખનાર ખરો તત્ત્વજ્ઞાની છે. પોતાનાં ચશ્મામાં જે દેખાયું તેને અનુભવી બીજામાં તે મૂકતા જાય છે. આમ પરંપરાગત તત્ત્વજ્ઞાન આગમોક્ત છતાં અનુભવગમ્ય છે, જુનું છતાં નવું છે, શુષ્ક છતાં રસિક છે. શ્રીમદ્દ પિતે તત્વજ્ઞાનનો અનુભવ કરવા મથતા. આત્મદર્પણમાં તેનાથી ઊઠેલી છાપ તેઓ પિતાનાં પુસ્તકમાં મૂકતા ગયા છે. તરવની ચર્ચામાં તેમણે કેટલાયે ગ્રંથો ભર્યા છે. સર્વની ચર્ચા અશકય છે, છતાં બધામાં એક વસ્તુનું-તવાનુભવનું સામ્ય છે. જે “પરમાત્મ જ્યોતિ ”માં છે તેજ રૂપાંતરે પરમાત્મદર્શનમાં છે. તેજ વસ્તુ “ અધ્યાત્મ વ્યાખ્યાન માળા માં છે. એમ પરંપરાસાગરનાં મોજાંની પેઠે જુદા જુદા અર્થભાવે એ મોજાં ફરી વળ્યાં છે. પ્રધાનગણત્વના ભેદપૂર્વક એક જ વસ્તુ દેહાંતરે એકજ આત્માને ઓળખાવે છે. અનુભવતત્વ એક છે. તેને સમજાવવાની શૈલી ભિન્ન છે. આત્મરમણતા અને બ્રહ્મવિહરણમાંથી એકજ વસ્તુ શ્રીમને લાધે છે. માત્ર બાલજી સમજી શકે તે ખાતર વિવિધ પ્રકારે રજુ કરે છે, આ કારણે તેમનાં તત્વના ગ્રંથોના અભ્યાસીને તેમાં ઝાઝું વૈવિધ્ય નહિ જડે-અલબત્ત અધિકારી તો અપવાદ રૂપે છેજ. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy