SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૨ થોગનિષ્ઠ આચાર્ય તિનાં દર્શન કરાવ્યાં હતાં, ને નાસ્તિક સમા શ્રી વિવેકાનંદે કર્યા હતાં તમે શું એ માની લેશે ? અમે કહીશું. મુનિ દેવેન્દ્રસાગર અને ભાખરીઆ પોપટલાલને તેઓએ આત્મજ્યોતિનાં દર્શન કરાવેલાં. તમને તરત અશ્રધ્ધા લાધશે. કહેશે કે વળી આ જમાનામાં જૈન સામાં આવું શહુર કયાંથી? - તમારી એ વાત અમે પણ માનીએ છીએ. ગીની અદ્ભુત વાતો માનવી માનો શકતો નથી. દિન દિન માયકાંગલે બનતે સમાજ હળવદીઆ બ્રાહ્મણ સો લાડુ ખાતા, એ વાત આજે નહિ તે પાંચ વર્ષે ગપ માનશે, ને રામમૂર્તિ છાતી પર હાથી ઊભે રાખતો-એ વાત એક દહાડો ઠંડાં પહારનાં ગપ્પાં મનાશે. જમાનાને પોતાના ગજથી સહ માપે છે. વિજ્ઞાનને નામે ગમે તે વાત સ્વીકારવામાં સંકોચ ન અનુભવતા, આત્માના સામર્થ્યની વાતો આવતાં-શંકા કરવા લાગે છે. મંત્રની શકિતથી સહુ કોઈ આજે અવિશ્વાસુ છે, કારણ? કારણ એ કે એવું નિષ્કલંક વજાંગ બ્રહ્મચર્ય આજે કોઈએ જોયું નથી આત્માની એવી નિર્ભયતા જાણે લગભગ અદ્રશ્ય બની છે. ઇમાન નથી, ધર્મ નથી, લુચ્ચાઈ છે, સગવડી એ ધર્મ છે. માન્યા માટે માથું આપવાની તમન્ના નથી. એવામાં સ્વાર્થ ની મેટાઈ છે. નિષ્કલંક ચારિત્ર્ય આજે દુર્લભ બન્યું છે. મૃત્યુભયની બેપરવાઈ આજે દેખાતી નથી. કલ્યાણ ને પ્રેમનો ઝરો હો માનવીના હદયમાંથી શેષાઈ ગયેલ છે. ચિંતા, અસંતોષ ને ઈર્ષા આજે માનવજીવનનાં વિશિષ્ટ અંગ બન્યાં છે–મેટાઈમાં ખપ્યાં છે. દેહનું જ પૂરું ભાન નથી, ત્યાં આત્માની યાદ કોને હેય ! - પ્રેમનો એ અફાટ ઝરો, બ્રહ્મચર્યને એ મહાન પ્રતાપ, આત્માનું એ દિવ્ય સામર્થ્ય જ્યાં ભેગું મળવું ત્યાં જે કાર્ય થાય તે આજે ચમત્કાર લાગશે. માકડના ચટકાને મેહના ચટકા ગણી આનંદ માનનાર, લીંબડાને, કૂતરાને, નદીને પિતાનાં ભાઈ લેખનાર દિવ્ય પ્રેમીને શું અશક્ય છે? - તા. ૧૫-૧૦-૧૯૧૩ “ આસો સુદી પૂર્ણિમાએ કેવળ કુભક પ્રાણાયામ કર્યા બાદ, એકાગ્ર થવાથી એકદમ દશ્ય ને કટાના ભાવ વિલય પામવાની સાથે ઝળહળ જ્યોતિનો પ્રકાશ થયો. એ પ્રકાશમાં હું દેખું છું, અને જ્યોતથી દેખનાર ભિન્ન છે, એ ભાવ રહ્યો નહિ. આમાતિમાંથી ઉત્થાન થયા બાદ આનંદનું ઘેન ઘણા વખત સુધી રહ્યું. દેવેનદ્રસાગરને ગળે વખતે આશીર્વાદ આપ્યો હતો, તેથી તેને આધિન પૂર્ણિમાએ જ્યોતિનો પ્રકાશ થયો હતો. ઘણુ ભકતોને પણ તે સરળ થયો છે. આજ સુધી કોઈને નિષ્કલ થયો નથી. આત્મતિની સાક્ષી આત્માનંદ પુરે છે. આમતિનાં દર્શન કરવાનો અનુભવ વિશેષ રીતે કરવાની જરૂર છે.” [ રોજનીશીમાંથી ] For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy