SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ યાનિ આચાય રાખનાર સૂરિજીને પુણ્યપ્રકાપ પગટયે, સબળ શુ' નિળને દખાવે ! એ વેળા હાથમાં ઈંડ લઇ ઉપાશ્રયના એટલે ચરિત્રનાયક આવીને ખડા રહ્યા. કેાની મજાલ હતી કે આગળ વધે ! ચરિત્રનાયક કહેતા; “ જૈનો ત્રિઅ’ગી છે. એમની પાસે બ્રાહ્મણ છે ( સાધુ ). વૈશ્ય છે ( વેપારી ), ને શૂદ્ર છે; પણ ક્ષત્રિયનું અંગ નથી. એ અગને ખીલવવાની જરૂર છે. ” જૈન ખાળકેાનાં નમાલાં નામ પાડવા સામે પણ તેઓ વિરાધ ઉઠાવતા. કેટલાકને પૈાતે નામ આપતા. વીજાપુરના ચાતુર્માસ પછી સ’વત ૧૯૭૭ નું' ચાતુર્માસ સાણંદમાં કર્યું. સાણંદના ઠાકાર જશવંતિસંહુજી સાથે તેમને વિ. સં. ૧૯૬૦ થી પરિચય હતા. તેમના ઉપદેશથી તેમણે વિલાયતી ખાંડ અને દારૂના ત્યાગ કર્યો હતા; તેમ જ ગામમાં દારૂ પીનારને ગામ અહાર કાઢવાની આજ્ઞા કરી હતી, જે આજે પણ પળાય છે. આ ચામાસા વખતે સાણંદમાં અમુક કારણસર જૈને અને મુસ્લિમે વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું. પેાતાને ખબર પડતાં ખુદ મસ્જિદમાં ગયા, અને બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું. અહી’ના દરબારના ભાયાત કાલુભા ચરિત્રનાયકને ‘ મારા ખેલતા દેવ ’ કહીને મેલાવતા. આ વેળા સાણંદની સ્થિતિ ખરાબર નહેાતી. તેમણે દેરાસરની ફરી પ્રતિષ્ઠા કરવા કહ્યુ', ને ત્યાર બાદ સ્થિતિ સુધરતી ચાલી, સાણ ંદનું ચાતુર્માસ પૂર્ણ કરી તેએ અમદાવાદ આવ્યા. આ વેળા તે શેઠ કેશવલાલ લલ્લુભાઈ રાયજીના મંગલે ઊતર્યાં. અમદાવાદ એ વેળા મહાસભાના ભરાનારા અધિવેશનની તૈયારીઓથી ગાજી રહ્યુ હતું. સૂરિજીએ પંદર દિવસ રહી એ રાષ્ટ્રાત્સવને સાનન્દ નિહાળ્યા. રાષ્ટ્રની હાકલને સ્વીકારી તેઓએ ખાદી તા ઘણા વખતથી સ્વીકારેલી જ હતી. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy