SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ થાગનિષ્ઠ આચાય કરતા. જૈનેાની જ્યાં નિર્બળતા જોતા ત્યાં એમની આંતરડી કકળી ઊઠતી. અરે, વિશ્વધર્મ જેવા જૈનધર્મના અનુયાયીએ આવા નિસ્તેજ કાં ? ડરપેાક કાં ? નમાલા કાં ? સ્વાથી ને ભીરુ કાં ? કાણુ હતા એમના પૂર્વજો ! કેવી હતી એમની વીરપર પરા ! આ માટે ચરિત્રનાયક જ્ઞાનપ્રચારને સર્વોત્તમ સાધન લેખતા. વર્તમાન જમાનાની કેળવણી ભાષાનું જ્ઞાન તેને મળે તે માટે પ્રયાસ કરતા. પેથાપુરમાં મળેલી • પ્રાંતિક જૈન કેન્ફરન્સ ’ માં ગુજરાતમાં ચેાગ્ય સ્થળે બેડીંગ સ્થાપવાની પેતે હિમાયત કરી હતી. આ હિમાયતને 'િમતથી સ્ત્ર. શેઠ ભગુભાઇ ફતેહચઢ કારભારીએ ઝીલી લીધીઃ ને અમદાવાદના પેાતાના પ્રેસના મકાનમાં ચેડાએક વિદ્યાથીએ રાખી છાત્રાલયના પ્રારંભ કર્યાં. આ શરૂઆતને ગુરુભક્ત શેઠ લલ્લુભાઈ રાયજીએ આગળ આવીને સાથ આપ્યા, ને નાગે।રી સરાહમાં ખરેખર એડિ ંગ સ્થાપી. એનું સંરક્ષણ અને સંચાલન કયું. આજે એ કુમળુ વૃક્ષ ફાલ્યું ધ્યુ છે, ને અમદાવાદમાં સાબરમતીને સામે કાંઠે, નદીતીરે સુ ંદર રીતે એ સંસ્થા ચાલી રહી છે, જેમાં અનેક વિદ્યાથી આ રહીને જ્ઞાનસ'પાદન કરી ગયા છે. ( આ લેખકે પણ એ સંસ્થામાં ટૂંક સમય અભ્યાસ કર્યાં છે. ) આ પછી તેઓશ્રીએ વડાદરામાં પણ આ પ્રકારે પ્રેરણા કરી, ને ત્યાં પણ જેત બેાડીંગ સ્થાપન કરાવી. પેાતાના આલીશાન મકાનમાં આ સંસ્થા દેઢઞા જેટલા વિદ્યાર્થી એને વડ આપી રહી છે. આજે ગાયાગેટ પર વિદ્યાભ્યાસની સગ આ ખાડી''ગેા-ગુરુકુળા સ્થાપવા તરફની ઈચ્છા-કેટલાક અન્ય સાધુએ પણ ધરા વતા: પણ તેમાં અને આમાં ફેર હતા. કેટલાક કીર્તિ ખાતર, કેટલાક પેાતાના માટે સગવડવાળુ વાસસ્થાન મળી રહે તે ખાતર, કેટલાક શિષ્યા મેળવવાના કારખાના તરીકે પણ આની હિમાયત કરતા. વાતેા મેાટી મેટી થતી. ને પછી કેઇ એ સંસ્થાને પેાતાના કીતિ પ્રચારનુ સાધન બનાવી લેતા, કેાઈ પેાતાની આળપ ંપાળને પેાષવાનું નિમિત્ત બનાવી લેતાઃ પણ જે કેટલાક નિર્કાભી નિરાડંબરી મહાનુભાવ સાધુએ હતા, જે શાસનને ખાતર જ બધું કરતા, એમાંના આપણા ચરિત્રનાયક પણ હતા. અને જો એમ ન હેાત તા-એક ગુરુના બે ચલામાં-એકે થાપેલું બીજે ઉથાપવામાં રાજી હાવાની ભાવના હાય ત્યારે-બીજા સમુદાયના સાધુએ સ્થાપેલી સ’સ્થા નાણાંને અભાવે કફેાડી હાલતમાં હાય ત્યારે-ઉદારતાથી આગળ આવવુ, તેને બચાવવા પ્રયત્ન કરવા, એ ખરેખર નિભેળ ઉદારતા ને શાસનસેવાની ધગશનું પરિણામ છે. For Private And Personal Use Only પાલીતાણા ખાતે શ્રી. ચારિત્રવિજયજી ( કચ્છી )એ સ્થાપેલી ‘ શ્રી. યશેવિજય જૈન સસ્કૃત પાઠશાળા ને મેડિ ગ’ નાણાંના અભાવે જ્યારે કટોકટીની હાલતમાં હતી ત્યારે પેાતાના પટ્ટશિષ્ય શ્રી. અજિતસાગરજી મારફત આ વાત તેઓશ્રીના જાણવામાં આવી. અરે, સમાજમાં નવાં જ્ઞાનવૃક્ષ વાવવાં મુશ્કેલ છે, ત્યારે વાવેલાં પૂરતા પાષણના અભાવે બળી-જળી જાય એ દુઃખદ છે. તેએએ તરત જ શેઠ જીવણચંદ ધરમચંદને મુંબઇ આ વાત જણાવી, ને શકય તેટલા પ્રયત્નોથી એ ડૂબતી જ્ઞાનનૌકાને બચાવવા ભલામણ કરી.
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy