SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેહમયીમાં યજીવનના બનાવે અને વિચારેની નોંધ કરવાની પદ્ધતિ, રાજનીશી લખવાનો રિવાજ પ્રાયઃ જૈન આચાર્યું કે સાધુઓમાં જોવા માં આવતો નથી. પ્રાશ્ચાત્ય દેશના મહાત્માઓ, મહાવીરે, મહાલેખકે ને મહાવતાઓમાં આ રિવાજ જોવાય છે; ને તેઓની રોજનીશીનાં બહુમાન કરાય છે. ભારતવર્ષમાં પણ ગાંધીજી, ગે વધનરામ, અ. ન. દ્વિવેદી કે લાકમાન્ય તિલક, સ્વામી રામતીર્થ કે વિવેકાનંદ જેવામાં વધતા-ઓછા પ્રકારે આ રિવાજ જોવાય છે, ખુલેલાં દ્વાર જેવું જેનું જીવન હોય, એને જ રોજનીશી લખવી. ફાવે છે; જેના જીવનમાં “ ખાનગી” ભાગ લુપ્ત થયેલ હોય તે કરેલા કામના સ્વીકાર કરતાં શરમ ન લાગતી હોય એ જ આ કામ કરી શકે છે ! રોજનીશી જીવનનું સાચું પ્રતિબિંબ છે. એના પતન ને ઉત્પાતને એ માંથી ઈતિહાસ સાંપડે છે, ગળે પહેરવાના હૈાર સમાન બનનાર કુંદનને કેટકેટલી કસોટી.એ ને સંસકારેદમાંથી પસાર થવું પડયું છે; એના સુદર ઇતિહાસ એમાં મળે છે. સ્વાધ્યાય એ જ જીવનને જેને ધર્મ છે, તેવા વર્તમાનના જૈન સાધુઓએ (શ્રી, આત્મારામજી કે એવા બે ચાર સાધુઓને ખાદ્દ કરતાં) પિષ્ટપેષણ સિવાય સ્વતંત્ર રીતે બહું અ૯૫ લખ્યું છે. અને જ્યારે એવું લખાણ અ૯પ હોય ત્યારે રાજનીશી લખવાની પ્રથા ને હિંમત તે ન જોવામાં આવે એ સ્વાભાવિક છે.. જન સાધુઓમાં કેટલાક સુંદર બોલી શકે છે; પણ લખતાં તેમને ફાવતું નથી. ઉખવા જાય છે, ૪૬૮ અને ૨૫ટ લખાતું નથી. કેટલાકમાં લખીને બેસી શકવાની અથવા લેખનની શકિત સારી જોવાય છે. પણ તેઓ રોજનીશી લખતાં પોતાના નિત્ય જીવનના બનાવે, વિચાર, પ્રગતિ કે પીછેહઠની શુદ્ધ નોંધ લેતાં ડરે છે. તેઓ તો માનતા હોય છે કે For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy